/connect-gujarat/media/post_banners/90f67df89f2556ff848815139767e7bcedfd7613b0a04fbef4d88093d3767b10.jpg)
અંકલેશ્વરના કોસમડી ગામના તળાવ ફળિયામાં ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવારની પ્રચાર સભા બાદ ભાજપ-આપના સમર્થકો વચ્ચે ધિંગાણું સર્જાતા તાલુકા પંચાયતના ઉપ પ્રમુખ, સરપંચ સહિત પાંચ લોકોને ઇજાઓ પહોંચી હતી.
અંકલેશ્વરના કોસમડી ગામના તળાવ ફળિયામાં રહેતા દિલિપ ચંદુ વસાવા ગતરોજ સાંજે ગામમાં ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવાને મળવા ગયો હતો જે બાદ ઉમેદવાર પ્રચાર સભા પૂર્ણ કરી નીકળી ગયા હતા તે દરમિયાન ફળિયામાં 6 વાગ્યાના અરસામાં ગામનો રાકેશ વસાવા સાઇકલ પર બેસી કાકી સંગિતાબેન વસાવા સાથે વાતચીત કરી રહ્યો હતો તે સમયે અચાનક સાઇકલ ઉપરથી ઉતરી રાજેશએ મહિલાને બે-ત્રણ તમાચા મારી દીધા હતા તે વેળા મહિલાએ બુમરાણ મચાવતા દિલિપ વસાવાએ કાકી સંગિતા બેનને બચાવવા જતાં ગામમાં રહેતા સરપંચ અજિત વસાવા અને તેના પિતા તાલુકા પંચાયતના ઉપ પ્રમુખ ચીમન વસાવા,સુખદેવ વસાવા હાથમાં લાકડી,સળિયા અને બેટ લઈ આવી દિલિપભાઈ ઉપર હુમલો કર્યો હતો આ મારામારીમાં યુવાનને છોડાવવા દોડી આવેલ કાકીના દીકરા અનિલ રમેશ વસાવાને પણ ચીમન વસાવાએ સળિયા વડે માથાના ભાગે હુમલો કર્યો હતો.જ્યારે સરપંચ અજિત વસાવાએ બેટ વડે હુમલો કર્યો હતો,તો રાકેશ વસાવા અને સુખદેવ વસાવાએ હાથના ભાગે લાકડીનો સપાટો મારી ઇજાઓ પહોંચાડી હતી આ મારામારીની ઘટનામાં ઇજાઓને પગલે ઇજાગ્રસ્ત બંને યુવાનોને સારવાર માટે ભરુચ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ચૂંટણી બાબતે ધીંગાણું સર્જાતા રાજકારણમાં ગરમાવો આવી ગયો છે
જ્યારે સામે પક્ષના અજિત ચીમન વસાવાએ નોંધાવેલ પોલીસ ફરિયાદ અનુસાર તેઓ પોતાના પિતા ચીમન વસાવા અને સાળા સુખદેવ વસાવા સાથે પોતાના ઘરે હતા તે વેળા તળાવ ફળિયામાં રહેતો અનિલ રમેશ વસાવા,રાજેશ મોરાર વસાવા અને દિલિપ ચંદુ વસાવા તેમજ રાજુ ચંદુ વસાવા ચારે ભેગા મળી આવ્યા હતા અને અજિત વસાવાને અપશબ્દો ઉચ્ચારી માથાકૂટ કરી લાકડીના સપાટા લઈ તૂટી પડ્યા હતા અને સરપંચ તેમજ તાલુકા પંચાયતના ઉપ પ્રમુખ અને સુખદેવ વસાવાને માર માર્યો હતો આ મારામારીમાં ત્રણેયને ઇજાઓ પહોંચતા તેઓને સારવાર માટે સામૂહિક આરોગ્ય કેન્દ્ર બાદ વધુ સારવાર માટે અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.આ મારામારી અંગે અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસ મથકે સામસામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.અત્રે ઉલ્લેખનીય છે કે આ ઘટના અંગેની જાણ થતાં ઈન્ડિયા ગઠબંધન ઉમેદવાર ચૈતર વસાવા તેમજ અન્ય આગેવાનો તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવી ઇજાગ્રસ્તોના ખબર અંતર પૂછ્યા હતા અને તેઓને દિલાસો આપ્યો હતો.