Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર: રનર ગ્રૂપ દ્વારા રેવા મેરેથોન યોજાય,નર્મદા નદીને સ્વરછ રાખવા જનજાગૃતિનો પ્રયાસ

પાવન સલીલા માં નર્મદાને સ્વરછ રાખવાના ઉદેશ્ય સાથે અંકલેશ્વરના રનર ગ્રૂપ દ્વારા રેવા મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું

X

પાવન સલીલા માં નર્મદાને સ્વરછ રાખવાના ઉદેશ્ય સાથે અંકલેશ્વરના રનર ગ્રૂપ દ્વારા રેવા મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા

ખળખળ વહેતી પાવન સલીલા માં નર્મદાને સ્વરછ રાખવાના ઉદેશ્ય સાથે અંકલેશ્વરના રનર ગ્રૂપ દ્વારા રેવા મેરેથોનનું આયોજન કરવામાં આવાયું હતું. આ કાર્યક્રમમાં ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી,અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ,કલેક્ટર તુષાર સુમેરા, પૂર્વ મંત્રી ખુમાનસિંહ વાંસીયા,આયોજક નરેશ પૂજારા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ચાનો સ્ટોલ ધરાવતા સ્ટોલ ધારકોને સ્ટીલના ચાના કપનું વિતરણ કરવામાં આવ્યું હતું અને નર્મદા નદીને સ્વરછ રાખવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.

Next Story