અંકલેશ્વર: સામોર ગામે જુગાર રમતા 3 જુગારીઓની પોલીસે કરી ધરપકડ

New Update
અંકલેશ્વર: સામોર ગામે જુગાર રમતા 3 જુગારીઓની પોલીસે કરી ધરપકડ

અંકલેશ્વર બી ડીવીઝન પોલીસે સામોર ગામના પરમાર ફળિયામાંથી જુગાર રમતા ત્રણ જુગારીયાઓને ૩૨ હજારથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા.

અંકલેશ્વરના સામોર ગામના પરમાર ફળિયામાં કેટલાક ઈસમો લાઈટના અજવાળે જુગાર રમી રહ્યા છે જેવી બાતમીના આધારે અંકલેશ્વર બી ડીવીઝન પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી રોકડા અને ત્રણ ફોન મળી કુલ ૩૨ હજારથી વધુના મુદ્દામાલ કબજે કર્યો હતો અને ફળિયામાં રહેતો જુગારી કમલજીતસિંહ ગણપતસિંહ પરમાર.કૃણાલસિંહ ગણપતસિંહ પામર અને જયદીપકુમાર કિશોર પરમારને ઝડપી પાડ્યો હતો.

Read the Next Article

અંકલેશ્વર : કોસમડી ગામે વીજ તાર તૂટીને પડવાથી બે અબોલ પશુઓના વીજ કરંટથી મોત

અંકલેશ્વરનાકોસમડી ખાડીમાં વીજ કંપનીનો જીવતો વીજ તાર તૂટીને પડ્યો હતો.જેના કારણે ચારો ચરતા અબોલ પશુઓને વીજ કરંટ લગતા બે અબોલ પશુઓના નિપજ્યા મોત

New Update
  • કોસમડીમાં વીજ તાર તૂટીને પડવાનો મામલો

  • બે મહિલાઓ પશુ ચરાવવા માટે ગઈ હતી 

  • સાંજે પરત ફરીથી વેળાએ બની ઘટના

  • ખાડી પાસે વીજ તાર તૂટીને પડ્યો હતો

  • વીજ કરંટ લાગતા બે અબોલ પશુઓના નિપજ્યા મોત

અંકલેશ્વર તાલુકાના કોસમડી ગામની ખાડી પાસે વીજ લાઈનનો એક તાર તૂટીને પડ્યો હતો,જેનો કરંટ બે અબોલ પશુઓને લગતા મોતને ભેટ્યા હતા. અંકલેશ્વર તાલુકાના કોસમડી ગામના નવાપરા ફળિયામાં રહેતા જમણા વસાવા અને રેવા વસાવા પોતાની ભેંસોને ચરાવવા માટે ગામની સીમમાં ગયા હતા,ત્યાંથી સાંજના સુમારે પરત ફરતી વેળાએ એક દુર્ઘટના સર્જાય હતી.

જેમાં કોસમડી ખાડીમાં વીજ કંપનીનો જીવતો વીજ તાર તૂટીને પડ્યો હતો.જેના કારણે ચારો ચરતા અબોલ પશુઓને વીજ કરંટ લાગ્યો હતો,વીજ કરંટના જોરદાર ઝટકાથી એક ભેંસ અને પાડાના મોત નિપજ્યા હતા,ઘટના અંગે જમના વસાવાએ જીઆઇડીસી પોલીસ મથકમાં ફરિયાદ દર્જ કરાવી હતી.