અંકલેશ્વર: નેશનલ હાઇવે પર દિવાળી વેકેશન પૂર્ણ જ ફરી ટ્રાફિકજામના દ્રશ્યો,અનેક વાહનચાલકો અટવાયા
અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપર સુરત તરફના ટ્રેક પર ટ્રાફિકજામ સર્જાતા વાહનોની લાંબી લાઈનો લાગતાં અનેક વાહન ચાલકો અટવાયા હતા
BY Connect Gujarat Desk29 Nov 2023 10:54 AM GMT
X
Connect Gujarat Desk29 Nov 2023 10:54 AM GMT
અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપર સુરત તરફના ટ્રેક પર ટ્રાફિકજામ સર્જાતા વાહનોની લાંબી લાઈનો લાગતાં અનેક વાહન ચાલકો અટવાયા હતા
આવતી કાલે દિવાળી વેકેશન પૂર્ણ થઈ રહ્યું છે જેને પગલે અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપર વાહનોનું ભારણ વધતાં ટ્રાફિકજામના દ્રશ્યો જોવા મળ્યા છે ત્યારે આજરોજ અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપર સુરત તરફના ટ્રેક પર ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું જેને કારણે વાહન ચાલકો અટવાયા હતા.નિલેશ ચોકડીથી લઈ આમલાખાડી બ્રિજ સુધી ટ્રાફિકજામના દ્રશ્યો જોવા મળ્યા હતા ત્યારે પોલીસ વિભાગ દ્વારા દરેક પોઈન્ટ ઉપર ટ્રાફિક જવાનો અને પોલીસકર્મીઓ ગોઠવી યોગ્ય પગલાં ભરે તો ટ્રાફિકની સમસ્યાનું નિરાકરણ કરી શકાય તેમ છે.
Next Story