Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર : યુવા રાણા સમાજ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા યોજાયો સ્નેહમિલન સમારોહ, શ્રેષ્ઠીઓનું સન્માન કરાયું...

રાણા સમાજ સ્નેહમિલન સમારોહમાં વાપીથી લઇ ચરોતર સુધીના રાણા સમાજના પ્રમુખ તથા હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.

X

યુવા રાણા સમાજ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજન

રાણા સમાજ દ્વારા સ્નેહમિલન સમારોહનું આયોજન

વાપીથી લઇ ચરોતર સુધીના આગેવાનોની હાજરી

વિવિધ ક્ષેત્રે પ્રસિદ્ધિ મેળવનાર શ્રેષ્ઠીઓનું સન્માન

મોટી સંખ્યામાં રાણા સમાજના લોકો ઉપસ્થિત રહ્યા

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ખાતે યુવા રાણા સમાજ ચેરિટેબલ ટ્રસ્ટ-અંકલેશ્વર દ્વારા રાણા સમાજ સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ખાતે યુવા રાણા સમાજ ચેરિટેબલ ટ્રસ્ટ-અંકલેશ્વર દ્વારા આયોજિત રાણા સમાજ સ્નેહમિલન સમારોહમાં વાપીથી લઇ ચરોતર સુધીના રાણા સમાજના પ્રમુખ તથા હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.

અંકલેશ્વરમાં રહેતા રાણા સમાજના 10 જેટલા તબીબ અને વિવિધ ક્ષેત્રોમાં પ્રસિદ્ધિ મેળવનાર 5 જેટલા શ્રેષ્ઠીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ સાથે જ મોટી સંખ્યામાં રાણા સમાજના લોકો ઉપસ્થિત રહી સમાજની સંગઠિતતાનું પ્રમાણ પૂરું પાડ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા યુવા રાણા ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ ગૌરાંગ રાણા, ઉપ્રમુખ ભરત રાણા, મહામંત્રી નિલેશ રાણા સહિતના સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી.

Next Story