Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર : PM મોદીના કાર્યક્રમ માટે રાજ્યભરની એસટી. બસો ફાળવાતા મુસાફરો થયા હેરાન-પરેશાન...

ગુજરાતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમમાં રાજ્યભરમાંથી એસટી. બસો ફાળવવામાં આવી છે.

X

ગુજરાતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમમાં રાજ્યભરમાંથી એસટી. બસો ફાળવવામાં આવી છે, ત્યારે એસટી. બસના અભાવે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર એસટી. ડેપો ખાતે મુસાફરો હેરાન પરેશાન થયા હતા.

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના 2 દીવસના પ્રવાસે છે, ત્યારે તેઓના કાર્યક્રમને લઇ એસટી. વિભાગ દ્વારા રાજ્યભરમાંથી એસટી. બસો વડાપ્રધાન મોદીના કાર્યક્રમમાં ફાળવી દેવામાં આવી છે. જેને લઇ એસટી બસમાં મુસાફરી કરતા મધ્યમ વર્ગના લોકો હેરાન પરેશાન બન્યા છે. તેવામાં ભરૂચના અંકલેશ્વર એસટી. ડેપો દ્વારા વડાપ્રધાન મોદીના કાર્યક્રમમાં 34 જેટલી એસટી. બસો ફાળવવામાં આવી છે. જેને પગલે દેડિયાપાડા અને હાંસોટ તરફના રૂટ પર દોડતી એસટી. બસના અભાવે મુસાફરો સહિત વિદ્યાર્થીઓએ કલાકો સુધી બસની રાહ જોઇને એસટી ડેપો ખાતે તપસ્યા કરવાનો વારો આવ્યો હતો. જોકે, એસટી. બસો સરકારી કાર્યક્રમમાં ફાળવી દેવાતા મુસાફરોમાં રોષ જોવા મળ્યો હતો.

Next Story