Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર : સુપ્રસિદ્ધ ક્ષિપ્રા ગણેશ મંદિરના 11મા પાટોત્સવની કરાશે ભવ્ય ઉજવણી, મંદિર ટ્રસ્ટ દ્વારા જાહેર આમંત્રણ પાઠવાયું..!

શહેરના રામકુંડ સ્થિત ક્ષિપ્રા ગણેશ મંદિરના 11માં પાટોત્સવની ઉજવણી નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

X

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરના રામકુંડ સ્થિત ક્ષિપ્રા ગણેશ મંદિરના 11માં પાટોત્સવની ઉજવણી નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે સૌ નગરજનોને ઉપસ્થિત રહેવા ક્ષિપ્રા ગણેશ મંદિર સેવા ટ્રસ્ટ દ્વારા જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરના હાંસોટ રોડ સ્થિત પૌરાણિક રામકુંડ ખાતે આવેલ સુપ્રસિદ્ધ ક્ષિપ્રા ગણેશ મંદિરનો આગામી તા. 16 જાન્યુઆરીના રોજ 11મો પાટોત્સવ હોવાથી શાસ્ત્રોક્ત વિધિ અનુસાર દુંદાળા દેવની આરાધના કરવા માટે વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવનાર છે. 11મા પાટોત્સવ નિમિત્તે મંદિર પટાંગણમાં ગણેશ યાગ, મહાઆરતી, ભંડારા સહિત રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. આ સાથે જ તા. 22 જાન્યુઆરીના રોજ અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામની પ્રતિમાના ભવ્ય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે અંકલેશ્વરના ક્ષિપ્રા ગણેશ મંદિર ખાતે સમૂહ સુંદરકાંડ પઠનનું પણ આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે આ બન્ને પ્રસંગોના સાક્ષી બનવા સૌ નગરજનોને ક્ષિપ્રા ગણેશ મંદિર સેવા ટ્રસ્ટ દ્વારા જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

Next Story