અંકલેશ્વર : સુપ્રસિદ્ધ ક્ષિપ્રા ગણેશ મંદિરના 11મા પાટોત્સવની કરાશે ભવ્ય ઉજવણી, મંદિર ટ્રસ્ટ દ્વારા જાહેર આમંત્રણ પાઠવાયું..!

શહેરના રામકુંડ સ્થિત ક્ષિપ્રા ગણેશ મંદિરના 11માં પાટોત્સવની ઉજવણી નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

New Update
અંકલેશ્વર : સુપ્રસિદ્ધ ક્ષિપ્રા ગણેશ મંદિરના 11મા પાટોત્સવની કરાશે ભવ્ય ઉજવણી, મંદિર ટ્રસ્ટ દ્વારા જાહેર આમંત્રણ પાઠવાયું..!

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરના રામકુંડ સ્થિત ક્ષિપ્રા ગણેશ મંદિરના 11માં પાટોત્સવની ઉજવણી નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે સૌ નગરજનોને ઉપસ્થિત રહેવા ક્ષિપ્રા ગણેશ મંદિર સેવા ટ્રસ્ટ દ્વારા જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરના હાંસોટ રોડ સ્થિત પૌરાણિક રામકુંડ ખાતે આવેલ સુપ્રસિદ્ધ ક્ષિપ્રા ગણેશ મંદિરનો આગામી તા. 16 જાન્યુઆરીના રોજ 11મો પાટોત્સવ હોવાથી શાસ્ત્રોક્ત વિધિ અનુસાર દુંદાળા દેવની આરાધના કરવા માટે વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવનાર છે. 11મા પાટોત્સવ નિમિત્તે મંદિર પટાંગણમાં ગણેશ યાગ, મહાઆરતી, ભંડારા સહિત રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. આ સાથે જ તા. 22 જાન્યુઆરીના રોજ અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામની પ્રતિમાના ભવ્ય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે અંકલેશ્વરના ક્ષિપ્રા ગણેશ મંદિર ખાતે સમૂહ સુંદરકાંડ પઠનનું પણ આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે આ બન્ને પ્રસંગોના સાક્ષી બનવા સૌ નગરજનોને ક્ષિપ્રા ગણેશ મંદિર સેવા ટ્રસ્ટ દ્વારા જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

Read the Next Article

ભરૂચ: અષાઢી બીજે 6 સ્થળોએથી નિકળશે ભગવાન જગન્નાથની રથયાત્રા, પોલીસ ડ્રોન કેમેરાથી રાખશે નજર

અષાઢી બીજ નિમિત્તે ભરૂચ જિલ્લામાં છથી વધુ રથયાત્રા નિકળશે જેને ધ્યાને લઈ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આવતીકાલે અષાઢી બીજના

New Update

ભરૂચમાં આવતીકાલે કરવામાં આવ્યું આયોજન

6 સ્થળોએથી રથયાત્રાનું આયોજન

પોલીસનો રહેશે ચુસ્ત બંદોબસ્ત

ડ્રોન કેમેરાથી રાખવામાં આવશે નજર

700થી વધુ પોલીસકર્મીઓ રહેશે તૈનાત

અષાઢી બીજ નિમિત્તે ભરૂચ જિલ્લામાં છથી વધુ રથયાત્રા નિકળશે જેને ધ્યાને લઈ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

આવતીકાલે અષાઢી બીજના પાવન દિવસે ભરૂચ જિલ્લાભરમાં વિવિધ સ્થળોએ કુલ 6 રથયાત્રાઓ યોજાવાની છે. ભરૂચ શહેરમાં ત્રણ, અંકલેશ્વરમાં બે તથા ઝઘડિયામાં એક રથયાત્રા યોજાવાની છે. ભક્તિભાવ અને શાંતિપૂર્ણ માહોલ જળવાઈ રહે તે હેતુસર જિલ્લા પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.ભરૂચ શહેરની અતિ પૌરાણિક ગણાતી દત્ત મંદિરથી ભોઈવાડ સુધીની રથયાત્રાના માર્ગ પર આજે પોલીસ વિભાગ દ્વારા ફ્લેગ માર્ચ યોજાઈ હતી. આ ફ્લેગ માર્ચ ફુરજા ચોકથી શરૂ થઈ લાલ બજાર, ચકલા, હાથીખાના બજાર, અને સોનેરીમહલ સુધી યોજાઈ હતી. સમગ્ર ફ્લેગ માર્ચ ડીવાયએસપી  સી.કે. પટેલના માર્ગદર્શન હેઠળ સંપન્ન થઈ હતી.રથયાત્રા દરમ્યાન પોલીસ બંદોબસ્તમાં 3 ડીવાયએસપી, 8 પીઆઈ, 23 પીએસઆઈ, 456 હેડ કોન્સ્ટેબલ તથા પોલીસ જવાનો સાથે 266 હોમગાર્ડનો સમાવેશ થાય છે. ઉપરાંત ડ્રોન કેમેરાની મદદથી સમગ્ર યાત્રામાર્ગ ઉપર નજર રાખવામાં આવશે.