Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર : જુના બોરભાઠા બેટ ગામે અજાણ્યા ઇસમનો ઝાડ પર લટકેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો, પોલીસ તપાસ શરૂ...

અંકલેશ્વર : જુના બોરભાઠા બેટ ગામે અજાણ્યા ઇસમનો ઝાડ પર લટકેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો, પોલીસ તપાસ શરૂ...
X

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના જુના બોરભાઠા બેટ ગામના નાળા નજીક એક અજાણ્યા ઇસમનો ઝાડ પર લટકેલી હાલતમાં મૃતદેહ મળી આવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

મળતી માહિતી અનુસાર, અંકલેશ્વર તાલુકાના જુના બોરભાઠા બેટ ગામમાં આવેલ નાળા નજીક એક વ્યક્તિનો ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરેલી હાલતમાં મૃતદેહ મળી આવતાં સમગ્ર મામલે પોલીસે સ્થળ ઉપર પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી. અંકલેશ્વરના જુના બોરભાઠા બેટ ગામના નાળા નજીક ઝાડીઓમાં એક અજાણ્યા અંદાજીત 50 વર્ષીય પુરુષનો ગળે ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી હતી. બનાવની જાણ સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીને કરવામાં આવતાં તેઓ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી અંકલેશ્વર બી’ ડિવિઝન પોલીસ મથકને જાણ કરી હતી. બનાવના પગલે અંકલેશ્વર બી’ ડિવિઝન પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Next Story