અંકલેશ્વર : નવનિયુક્ત પાલિકા પ્રમુખની અધ્યક્ષતામાં પ્રથમ ત્રિમાસિક જનરલ બોર્ડની બેઠક મળી...

અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ તરીકે લલીતા રાજપુરોહિત તેમજ ઉપપ્રમુખ તરીકે ભાવેશ કાયસ્થએ ચાર્જ સંભાળ્યા બાદ 10 કમિટીના ચેરમેન અને સભ્યોની નિમણૂંક પણ કરવામાં આવી

New Update
અંકલેશ્વર : નવનિયુક્ત પાલિકા પ્રમુખની અધ્યક્ષતામાં પ્રથમ ત્રિમાસિક જનરલ બોર્ડની બેઠક મળી...

નવનિયુક્ત પાલિકા પ્રમુખની અધ્યક્ષતામાં મળી બેઠક

પાલિકામાં પ્રથમ ત્રિમાસિક જનરલ બોર્ડની બેઠક મળી

પાલિકા પ્રમુખ સ્થાનેથી 44 કામોને સર્વાનુમતે મંજૂરી

પાલિકાની કામગીરી બાબતે સત્તા પક્ષને વિપક્ષે ઘેર્યો

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર નગરપાલિકાના સભાખંડમાં અંકલેશ્વર નગરપાલિકાના નવનિયુક્ત પ્રમુખ લલિતા રાજપુરોહિતની અધ્યક્ષતામાં પ્રથમ ત્રિમાસિક જનરલ બોર્ડની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં એજન્ડા પરના 41, જ્યારે સપ્લીમેન્ટરી એજન્ડા પરના 2 અને પ્રમુખ સ્થાનેથી 1 મળી કુલ 44 કામોને સર્વાનુમતે અથવા વધુ મતે મંજૂરી મળી હતી. અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ તરીકે લલીતા રાજપુરોહિત તેમજ ઉપપ્રમુખ તરીકે ભાવેશ કાયસ્થએ ચાર્જ સંભાળ્યા બાદ 10 કમિટીના ચેરમેન અને સભ્યોની નિમણૂંક પણ કરવામાં આવી હતી.

જેમાં 6 કમિટીમાં મહિલા નગરસેવિકાને કમિટીની કમાન સોંપવામાં આવી હતી. કારોબારી કમિટીમાં 9, જ્યારે માધ્યમિક શાળા, ડિસ્પેન્સરી, રીક્રીએશન, હેલ્થ એન્ડ સેનિટેશન, લાઇટ, વોટર વર્કસ, વાહન કમિટી, ડ્રેનેજ કમિટીમાં 5 સભ્યોને સ્થાન આપવામાં આવ્યું હતું.

અંકલેશ્વર APMC સમિતિના ચેરમેન તરીકે જ્યોત્સના રાણા, કારોબારી કમિટીના ચેરમેન તરીકે નિલેશ પટેલ, માધ્યમિક શાળાના ચેરમેન તરીકે વિરલ મકવાણા, ડિસ્પેન્સરી કમિટીમાં હિરલ પટેલ, રીક્રીએશન કમિટીમાં નયના વસાવા, હેલ્થ એન્ડ સેનિટેશન કમિટીમાં સુરેશ પટેલ, લાઇટ કમિટીમાં કામિની ગાંધી, વોટર વર્કસમાં જીજ્ઞનેશ પટેલ, વાહન કમિટીમાં અક્ષેશ પટેલ, ડ્રેનેજ કમિટીમાં દક્ષા પટેલની ચેરમેન તરીકે વરણી કરવામાં આવી હતી.

તો બીજી તરફ, પાલિકાની બેઠક દરમ્યાન ભ્રષ્ટાચારથી લઇ પૂર વેળાએ પુરગ્રસ્તોએ વેઠેલી સમસ્યા મુદ્દે વિપક્ષ ગરજ્યું હતું. જેમાં નગરપાલિકાના હોદ્દેદારોને શાબ્દિક પ્રહારો કરી ઘેર્યા હતા. કરોડોના ખર્ચે બનેલ સ્વર્ણિમ લેક-વ્યૂ પાર્કમાં દિવાલ ધસી પાડવાથી બ્લોક બેસી જવા, ડમ્પિંગ સાઈટમાં લાખોના સરસામાનની ચોરી, ડમ્પિંગ સાઈટમાં ઓચિંતી આગ લાગવી સહિતના મુદ્દે વિપક્ષે પાલિકાના સત્તાધીશો સામે ખાયકી અને ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપ કરી ન્યાયીક તપાસની માંગ કરી હતી.

Read the Next Article

ભરૂચ : વરસાદથી ક્ષતિગ્રસ્ત અંકલેશ્વર-ઝઘડીયા-રાજપીપલા સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા માર્ગનું યુદ્ધના ધોરણે સમારકામ

ભરૂચ જિલ્લામાં વરસાદના કારણે ક્ષતિગ્રસ્ત થયેલા માર્ગોનું સમારકામ યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવ્યું છે. જે અંતર્ગત અત્યાર સુધીમાં માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ) દ્વારા

New Update
MixCollage-13-Jul-2025-08-

ભરૂચ જિલ્લામાં વરસાદના કારણે ક્ષતિગ્રસ્ત થયેલા માર્ગોનું સમારકામ યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવ્યું છે.

જે અંતર્ગત અત્યાર સુધીમાં માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ) દ્વારા ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના કુલ ખરાબ ૧૫.૪૦૦ કિમીથી વધુ લંબાઈના માર્ગોની મરામત કામગીરી પૂર્ણ કરાઈ છે. જેમાં કુલ ૧૨ જેસીબી, ૨૧ ડમ્પર અને ૧૦ રોલરની મદદથી ૧૧૭ થી વધુ શ્રમયોગીઓ દ્વારા આ સમગ્ર કામગીરી કરવામાં આવી રહી છે. 
આ મરામત કામગીરીમાં માર્ગના ક્ષતિગ્રસ્ત ભાગોનું સમારકામ, પેચવર્કની કામગીરી આયોજનબદ્ધ રીતે હાથ ધરવામાં આવી રહી છે.ભરૂચ જિલ્લામાં પણ માર્ગ અને મકાન વિભાગ દ્વારા અંકલેશ્વરથી ઝઘડીયા અને રાજપીપલા-સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો હાઈવે નં- ૬૪, રાજપારડી- નેત્રંગ, અસા - ઉમલ્લા -પાણેથા, રોડ ઉપર કુલ ૧૨ જેસીબી, ૨૧ ડમ્પર, ૧૦ રોલર, ગ્રેટર ૨ ટ્રેક્ટરો તેમજ અને લોડરની મદદથી થી ૧૧૭ વધુ શ્રમયોગીઓ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે.
Latest Stories