અંકલેશ્વર : ચૌટા બજાર સ્થિત માર્કંડેશ્વર મંદિરે શ્રી અંબાજી માતાના 57મા પાટોત્સવની ભવ્ય ઉજવણી, વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા...

માર્કંડેશ્વર મહાદેવ મંદિર સ્થિત શ્રી અંબાજી માતાના 57મા પાટોત્સવ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમો આયોજન કરવામાં આવ્યું હતું.

New Update
અંકલેશ્વર : ચૌટા બજાર સ્થિત માર્કંડેશ્વર મંદિરે શ્રી અંબાજી માતાના 57મા પાટોત્સવની ભવ્ય ઉજવણી, વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા...

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરના ચૌટા બજાર ખાતે આવેલ માર્કંડેશ્વર મહાદેવ મંદિર સ્થિત શ્રી અંબાજી માતાના 57મા પાટોત્સવ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમો આયોજન કરવામાં આવ્યું હતું.

અંકલેશ્વર શહેરના ચૌટા બજાર ખાતે આવેલ 400 વર્ષ પુરાણા અતિ પૌરાણિક માર્કંડેશ્વર મહાદેવ મંદિર સ્થિત શ્રી અંબાજી માતાના 57મા પાટોત્સવ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમો આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં યજ્ઞ વિધિ, શ્રીફળ-હવન, મહાપ્રસાદી સહિત સંધ્યા સમયે ભજન કીર્તનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. શ્રી અંબાજી માતાના 57મા પાટોત્સવ નિમિત્તે વહેલી સવારથી મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓએ ઉપસ્થિત રહી મહાદેવ અને માઁ અંબાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. આ પ્રસંગે માર્કંડેશ્વર યુવક મંડળના યુવા સભ્યોએ પાટોત્સવના અવસરને અનુરૂપ તમામ કામગીરી માટે ભારે જહેમત ઉઠાવી હતી. આ સાથે જ અંબાજી મંદિરના ટ્રસ્ટીગણ દ્વારા અંકલેશ્વર શહેર તથા આસપાસના વિસ્તારની ધર્મપ્રેમી જનતાને વિવિધ ધાર્મિક કાર્યક્રમોનો લાભ લેવા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.


Read the Next Article

સુરત : શિક્ષક પિતાએ બે પુત્રો સાથે અગમ્ય કારણોસર જીવન ટુંકાવ્યું, પોલીસે શરૂ કરી તપાસ,આપઘાતનું કારણ અકબંધ

સુરત શહેરમાં આજે બે કમકમાટીભર્યા સમાચાર સામે આવ્યા છે. આજે સવારે  સુરતના લસકાણા વિસ્તારમાં 34 વર્ષીય મહિલાએ પોતાના સાત વર્ષના દીકરાને ઝેરી દવા પીવડાવી અને

New Update

સુરતમાં સામૂહિક આપઘાતની ઘટના

શિક્ષક પિતાએ બે પુત્રો સાથે કર્યો આપઘાત

આપઘાત પાછળનું કારણ અકબંધ

પિતા પુત્રોના મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડાયા 

પોલીસે ઘટના અંગેની શરૂ કરી તપાસ

સુરત શહેરમાં આજે બે કમકમાટીભર્યા સમાચાર સામે આવ્યા છે. આજે સવારે  સુરતના લસકાણા વિસ્તારમાં 34 વર્ષીય મહિલાએ પોતાના સાત વર્ષના દીકરાને ઝેરી દવા પીવડાવી અને બાદમાં તે દવા પોતે પણ પી લીધી હતી. જેમાં માતાનું મોત નીપજ્યું હતું. જ્યારે બાળક સારવાર હેઠળ છે. ત્યારે હવે સુરતના ઉમરા વિસ્તારમાં આવેલી જિલ્લા પંચાયત ક્વાર્ટરમાં એક અત્યંત કરુણ ઘટના સામે આવી છે. અહીં એક પિતાએ પોતાના બે માસૂમ પુત્રો સાથે જીવનનો અંત આણ્યો છે. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

સુરતના ડિંડોલની મેરીમાતા સ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા અલ્પેશ કાંતિભાઈ સોલંકી ઉં.વ. 41 મૂળ સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાના ચિઠોડા ગામના વતની છે,અને હાલ સુરતમાં પરિવાર સાથે રહે છે. મૃતક શિક્ષક અલ્પેશ સોલંકીએ પોતાના 2 વર્ષીય પુત્ર કર્નિશ અલ્પેશભાઈ સોલંકી અને 8 વર્ષીય પુત્ર ક્રીશીવ અલ્પેશભાઈ સોલંકી સાથે આપઘાત કરી લેતાં શોકનો માહોલ છવાયો છે. ગુરુવારે મોડી સાંજે તેમના ક્વાર્ટરમાંથી કોઈ પ્રતિસાદ ન મળતાં પાડોશીઓને શંકા ગઈ હતી. જ્યારે દરવાજો તોડીને અંદર જોયું તો ત્રણેય મૃત હાલતમાં મળી આવ્યા હતા. બંને બાળકોના મૃતદેહ બેડ પર મૃત અવસ્થામાં મળી આવ્યા હતાજ્યારે અલ્પેશભાઇની ડેડબોડી લટકતી હાલતમાં મળી આવી હતી.

આપઘાતનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. પોલીસને ઘટનાસ્થળેથી કોઈ સુસાઇડ નોટ મળી નથી. પ્રાથમિક તપાસમાં અગમ્ય કારણોસર આ પગલું ભર્યું હોવાનું મનાઈ રહ્યું છે. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપીને વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટના પાછળ કયું કારણ જવાબદાર છે તે જાણવા પોલીસે શિક્ષકના પરિવારજનો અને મિત્રોની પૂછપરછ શરૂ કરી છે.

Latest Stories