અંકલેશ્વર:અમરતપૂરા ગામની સીમમાં ચાલતી દેશીદારૂની ભઠ્ઠી પરપોલીસની ટીમ ત્રાટકી,3 ભઠ્ઠી પરબુલ્ડોઝર ફરી વળ્યુ

હોળી-ધૂળેટી તહેવારોમાં દારૂની હેરાફેરીની પ્રવૃત્તિ અટકાવવા રેંજ આઈ.જી.સંદીપસિંગ અને જીલ્લા પોલીસ વડા ડો.લીના પાટીલ દ્વારા પ્રોહીબીશનની સ્પેશ્યલ ડ્રાઈવની સુચના આપવામાં આવી હતી..

New Update
અંકલેશ્વર:અમરતપૂરા ગામની સીમમાં ચાલતી દેશીદારૂની ભઠ્ઠી પરપોલીસની ટીમ ત્રાટકી,3 ભઠ્ઠી પરબુલ્ડોઝર ફરી વળ્યુ

અંકલેશ્વર બી ડીવીઝન પોલીસે હોળી પર્વ પહેલા જ અમરતપુરા ગામની સીમમાં ધમધમતી ૩૦થી વધુ દેશી દારૂની ભઠ્ઠીઓનો નાશ કરી ૨૦થી વધુ બુટલેગરોને ઝડપી પાડી તપાસ હાથ ધરી છે. આગામી હોળી-ધૂળેટી તહેવારોમાં દારૂની હેરાફેરીની પ્રવૃત્તિ અટકાવવા રેંજ આઈ.જી.સંદીપસિંગ અને જીલ્લા પોલીસ વડા ડો.લીના પાટીલ દ્વારા પ્રોહીબીશનની સ્પેશ્યલ ડ્રાઈવની સુચના આપવામાં આવી હતી..

Advertisment

જેને આધારે ભરૂચ ટાઉન અને અંકલેશ્વરના અમરતપરા સહીત અમરાવતી ખાડીના કિનારે ધમધમતી દેશી દારૂના અડ્ડાઓ ઉપર પોલીસની અગલ અલગ ટીમોએ દરોડા પાડ્યા હતા અને દેશી દારૂની ભઠ્ઠીઓ ઉપર જેસીબી મશીન ફેરવી તોડી પાડવામાં આવી હતી અને ૬૮૧ લીટર દેશી દારૂ ૨૭ હજારથી વધુ વોશનો જથ્થો તેમજ ચાર વાહનો મળી કુલ ૪.૧૪ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરી ૪૧ બુટલેગરોને ઝડપી પાડ્યા હતા જયારે ૧૧ જેટલાને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે

Advertisment
Read the Next Article

અંકલેશ્વર: કમોસમી વરસાદ સાથે પ્રદૂષણના દ્રશ્યો સામે આવ્યા, રાસાયણિક પાણી ખાડીમાં વહ્યું !

અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં સી પમ્પીંગ સ્ટેશન ગેટ અને કેનાલ ઓવરફલો થતા રાસાયણિક પાણી અમરાવતી નદી અને છાપરા ખાડીમાં વહી ગયું જીપીસીબી દ્વારા નમૂના લેવામાં આવ્યા

New Update
  • અંકલેશ્વરમાં કમોસમી વરસાદ

  • કમોસમી વરસાદ સાથે પ્રદૂષણના દ્રશ્યો

  • પ્રદુષિત પાણી ઓવરફ્લો થયું

  • લાખો લીટર પાણી ખાડીમાં વહ્યું

  • જીપીસીબી દ્વારા નમૂના લેવામાં આવ્યા

Advertisment
અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં સી પમ્પીંગ સ્ટેશન ગેટ અને કેનાલ ઓવરફલો થતા રાસાયણિક પાણી અમરાવતી નદી અને છાપરા ખાડીમાં વહી ગયું હતું. હજુ ચોમાસુ બેઠું નથી એ પૂર્વે જ અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં વરસાદી પાણી સાથે રાસાયણિક પાણી વિપુલ માત્રામાં વહી ગયું હતું.10 દિવસમાં બીજી વાર પડેલા માવઠામાં પ્રથમ માવઠામાં અમરાવતી નદીમાં માછલાંના મોત થયા હતા અને હવે બીજા માવઠામાં જળ સંપદા અને જમીન સંપદાને વ્યાપક નુકશાન થવાના દ્રશ્યો સામે આવ્યા છે.
ખાસ કરીને સી પમ્પીંગ સ્ટેશન પાસે નોટીફાઈડ વિભાગ દ્વારા બનાવેલ પાળો અને તેની નજીક મુકેલ ગેટ પર ઓવરફ્લો થઇને ઔદ્યોગિક વસાહતનું રાસાયણિક પાણી ખાડીમાં ધોધ સ્વરૂપે વહી રહ્યું હતું.આ અંગે જીવદયા પ્રેમીઓ જીપીસીબીને જાણ કરતા અધિકારીઓએ ત્વરિત અસરથી સ્થળ પર દોડી આવ્યા હતા અને સેમ્પલ લીધા હતા તેમજ નોટીફાઈડ વિભાગના અધિકારીઓ અને ઉદ્યોગ મંડળને પ્રિ મોન્સૂન કામગીરી અંતર્ગત પાળો ઉંચો કરવા તાકીદ કરવામાં આવી હતી. 
Advertisment