અંકલેશ્વર: ધો. 12 આર્ટસના વિધાર્થીએ ચિત્રકલાથી રાજ્યકક્ષાએ નામના મેળવી, જિલ્લાનું ગૌરવ વધાર્યું

ધોરણ 12 આર્ટ્સના વિધાર્થી રાજયભરમાં ચિત્રકલા ક્ષેત્રે ડંકો વગાડી દ્વિતીય ક્રમ હાંસલ કરી શાળા તથા જિલ્લાનું ગૌરવ વધાર્યું છે.

New Update
અંકલેશ્વર: ધો. 12 આર્ટસના વિધાર્થીએ ચિત્રકલાથી રાજ્યકક્ષાએ નામના મેળવી, જિલ્લાનું ગૌરવ વધાર્યું

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના ધોરણ 12 આર્ટ્સના વિધાર્થી રાજયભરમાં ચિત્રકલા ક્ષેત્રે ડંકો વગાડી દ્વિતીય ક્રમ હાંસલ કરી શાળા તથા જિલ્લાનું ગૌરવ વધાર્યું છે.

રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ યુવક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર ના ઉપક્રમે જિલ્લા વ્યવસ્થાપક સમિતિની રાહબરી નીચે જિલ્લા રમતગમત અધિકારી કચેરી ભાવનગર શહેર દ્વારા રાજ્ય કક્ષા કલા મહાકુંભનો કાર્યક્રમ ગત તારીખ 10 મી જૂનના રોજ ભાવનગર મુકામે યોજવામાં આવ્યો હતો.આ કલા મહાકુંભમાં શ્રી ટી .એમ. શાહ એન્ડ એ.વી.એમ. વિદ્યા મંદિર અંકલેશ્વરના ધોરણ 12 આર્ટસના વિદ્યાર્થી સાહિલ રાઠવા દ્વારા ભરૂચ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરવાનો અવસર પ્રાપ્ત થયો હતો, તેને ચિત્રકલા વિભાગમાં તાલુકા, જિલ્લા, ઝોન કક્ષાએ ખૂબ જ સારું કલા કૌતક બતાવ્યું હતું.

સાહિલ રાઠવાને હવે તેની કલા કૃતિ લઈ રાજ્ય કક્ષાએ જવાનો અવસર પ્રાપ્ત થયો હતો, રાજ્ય કક્ષાના કલા મહાકુંભમાં દ્વિતીય નંબર પ્રાપ્ત કરીને શાળાનું તેમજ જિલ્લાનું નામ રાજ્ય કક્ષાએ રોશન કરી ગૌરવ પ્રદાન કર્યું હતું, વિદ્યાર્થી સાહિલ રાઠવા તેમજ શાળા સંચાલક મંડળના પ્રમુખ અરુણ ગાંધી ,મંત્રી સંજય ગાંધી, ઉપપ્રમુખ પ્રકાશ ભરૂચી, શાળાના ઇન્ચાર્જ આચાર્ય હિરેન પાડવી, તેમજ શાળાના ચિત્ર શિક્ષક મહેશ વસાવા દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા છે.

Read the Next Article

ભરૂચ: નર્મદા પરિક્રમાવાસીઓ માટે CM ભુપેન્દ્ર પટેલનો મહત્વનો નિર્ણય, હાંસોટના વમલેશ્વરમાં 100091 ચો.મી.જમીન ફાળવાય

ભરૂચના હાંસોટના વમલેશ્વર ખાતે નર્મદા પરિક્રમા પથના યાત્રાધામોના વિકાસ માટે મુખ્યમંત્રીએ મહત્વપૂર્ણ નિર્ણય લઈ 10091 ચો. મીટર જમીનની ફાળવણી કરી છે.

New Update
bhupendra

ભરૂચના હાંસોટના વમલેશ્વર ખાતે નર્મદા પરિક્રમા પથના યાત્રાધામોના વિકાસ માટે મુખ્યમંત્રીએ મહત્વપૂર્ણ નિર્ણય લઈ 10091 ચો. મીટર જમીનની ફાળવણી કરી છે.

નર્મદા પરિક્રમા માર્ગ પર આવેલા યાત્રાધામો અને પરિક્રમાપથ ખાતે યાત્રાધામોના વિકાસની કામગીરી અર્થે પ્રવાસન ખાતા (ઉદ્યોગ અને ખાણ) વિભાગને વહીવટી હુકમ- 3 હેઠળ જમીન તબદીલ કરી આપવામાં આવી છે.ગુજરાત રાજ્યમાં નર્મદા પરિક્રમા આગવી ઓળખ સાથે ધાર્મિક મહત્વ ધરાવે છે. વમલેશ્વર યાત્રાધામ સહિત નર્મદા પરિક્રમા માર્ગ પર આવેલા અને પરિક્રમાપથના યાત્રાધામોના વિકાસથી ગુજરાત અને મઘ્યપ્રદેશ રાજ્યના હજારો પરિક્રમાવાસીઓ અને શ્રદ્ધાળુને પડતી વિવિધ મુશ્કેલીઓ હવે ભૂતકાળ બનશે.રાજ્ય સરકારના આ સંવેદનશીલ નિર્ણયથી ખરા અર્થમાં ભરૂચ જિલ્લામાં પ્રવાસન વિભાગને પ્રોત્સાહન મળશે તેમજ સ્થાનિકોને પણ તેનો લાભ થનાર છે. નર્મદા પરિક્રમા માર્ગ પર આવેલા યાત્રાધામો અને પરિક્રમાપથ ખાતે યાત્રાધામોના વિકાસની કામગીરી અર્થે મહત્વનો નિર્ણય લઇ જમીન ફાળવવાની મુખ્યમંત્રીએ મંજૂરી આપી છે. પ્રવાસન ખાતા દ્વારા વમલેશ્વર ખાતે સર્વે નંબર 553 ની 10091 ચોરસ મીટર જમીન ફાળવવા અંગે સરકારમાં માંગણી કરવામાં આવી હતી. જેને અનુલક્ષી મુખ્યમંત્રીએ આ નિર્ણય કર્યો છે.
ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકામાં આવેલું વમલેશ્વર ધાર્મિક સ્થળોમાં ખૂબ વિખ્યાત યાત્રાધામ છે. આ યાત્રાધામ સાથે નર્મદા પરિક્રમા ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. વહીવટી મંજૂર હુકમ 3 હેઠળ તબદીલ કરતા મુખ્યમંત્રીનો આ નિર્ણય મહત્વપૂર્ણ બની રહેશે.