અંકલેશ્વર : ખુલ્લા પ્લોટ પર ગેરકાયદે દબાણ કરાતા ઈન્દીરા આવાસ-અંદાડાના આદિવાસી સમાજનું તંત્રને આવેદન…

અંકલેશ્વરના અંદાડા ઈન્દીરા આવાસ ટેકરા ફળીયાના આદિવાસી સમાજના સભ્યોએ ભરૂચ જીલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર પાઠવ્યું હતું.

New Update
અંકલેશ્વર : ખુલ્લા પ્લોટ પર ગેરકાયદે દબાણ કરાતા ઈન્દીરા આવાસ-અંદાડાના આદિવાસી સમાજનું તંત્રને આવેદન…

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના અંદાડાના ઈન્દીરા આવાસ ટેકરા ફળીયાના આદિવાસી સમાજ દ્વારા ઇન્દીરા આવાસના ખુલ્લા પ્લોટને ખુલ્લો મુકવાના મુદ્દે ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી.

અંકલેશ્વરના અંદાડા ઈન્દીરા આવાસ ટેકરા ફળીયાના આદિવાસી સમાજના સભ્યોએ ભરૂચ જીલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર પાઠવ્યું હતું. આવેદન પત્રમાં જણાવ્યા અનુસાર, ઇન્દીરા આવાસમાં અંદાજીત 50 મકાનો આવેલ છે, જે ઇન્દિરા આવાસ માટે આવેલ ખુલ્લા પ્લોટ ઉપર ગેરકાયદેસર રીતે દબાણ કરી કેટલાક અસામાજિક તત્વોએ કબજો જમાવ્યો હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. જેના પગલે શુભ-અશુભ પ્રસંગે આવાસના રહીશોને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે, ત્યારે આ ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવે તેવી માંગ સાથે આદિવાસી સમાજના સભ્યોએ કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર આપી રજૂઆત કરી હતી.

Read the Next Article

ભરૂચ : નંદેલાવ બ્રિજ નીચે કેમિકલ ભરેલું કન્ટેનર પિલર સાથે ધડાકાભેર અથડાતા મંગલદીપ સોસાયટીની દિવાલ તૂટી

ભરૂચની મઢુલી ચોકડી નજીક કેમિકલ ભરેલ કન્ટેનરના ચાલકે નવા બ્રિજના પિલરને ટક્કર મારી હતી. ત્યારબાદ કન્ટેનર મંગલદીપ સોસાયટીની કમ્પાઉન્ડ વોલ સાથે અથડાતા અફરાતફરી મચી હતી

New Update
  • નંદેલાવ બ્રિજ પાસે સર્જાયો અકસ્માત

  • બેલગામ કન્ટેનર બ્રિજના પિલરમાં ભટકાયું

  • પિલર બાદ મંગલદીપ સોસાયટીમાં પણ અથડાયું

  • સોસાયટીના મંદિરની દીવાલ તૂટતા નુકસાન

  • જાનહાની ટળતા લોકોએ લીધો રાહતનો શ્વાસ

ભરૂચની મઢુલી ચોકડી નજીક કેમિકલ ભરેલ કન્ટેનરના ચાલકે નવા બ્રિજના પિલરને ટક્કર મારી હતી. ત્યારબાદ કન્ટેનર મંગલદીપ સોસાયટીની કમ્પાઉન્ડ વોલ સાથે અથડાતા અફરાતફરી મચી હતી.
 
ભરૂચ દહેજ બાયપાસ માર્ગ પર નંદેલાવ પાસે નવા બ્રિજ નીચે ગુરુવારે એક ગંભીર અકસ્માત થયો હતો. હજીરા અદાણીથી કેમિકલ ભરેલું કન્ટેનર દહેજ સ્થિત મેઘમણી કંપનીમાં જઈ રહ્યું હતું. એ દરમિયાન કન્ટેનર ચાલકનો સ્ટિયરિંગ પર નિયંત્રણ ખોરવાતા કન્ટેનર સીધું નવા પિલરને અથડાઈને સીધુ મંગલદીપ સોસાયટીની મંદિરે જોડાયેલી કમ્પાઉન્ડ વોલમાં ટકરાયું હતું.

આ અકસ્માતમાં બ્રિજના પિલર સાથે સાથે મંદિરની દિવાલને પણ ગંભીર નુકસાન થયું હતું. જોકે, ઘટના દરમિયાન કોઈપણ જાતની જાનહાની ન પહોંચતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. કન્ટેનરનો ચાલક દ્વારા કન્ટેનરને બેલગામ દોડાવવામાં આવી રહ્યું હતું.ઘટનાના પગલે સ્થળ પર તાત્કાલિક ફાયર વિભાગ તથા પોલીસ દોડી આવી હતી. ભારે વજનના કેમિકલ ભરેલા કન્ટેનરને સ્થળ પરથી દૂર કરવા ત્રણ હાઇડ્રાની મદદ લેવાઈ હતી. લાંબા સમય બાદ માર્ગ પર સર્જાયેલો ટ્રાફિક પુનઃ રાબેતા મુજબ થયો હતો.મંગલદીપ સોસાયટીના પ્રમુખ જીતુ  પ્રજાપતિએ જણાવ્યું હતું કે,કન્ટેનર અમારા મંદિરની દીવાલ તોડી ઘૂસી ગયું હતું. સદનસીબે કોઈ વ્યક્તિ ત્યાં નહોતી. પરંતુ આવી ઘટનાઓથી ભવિષ્યમાં વધુ ગંભીર પરિસ્થિતિ ઉભી ન થાય એ માટે પગલાં લેવા જરૂરી છે.