Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર: GIDCમા આવેલ પશુપતિનાથ મહાદેવ મંદિરમાં તસ્કરો ત્રાટકયા,જુઓ CCTV

અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલ પશુપતિનાથ મહાદેવ મંદિરમાં રાત્રિના સમયે તસ્કરો ત્રાટક્યા હતા અને મંદિરમાંથી પાંચ કિલોથી વધુના ચાંદીના દાગીનાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા

X

અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલ પશુપતિનાથ મહાદેવ મંદિરમાં રાત્રિના સમયે તસ્કરો ત્રાટક્યા હતા અને મંદિરમાંથી પાંચ કિલોથી વધુના ચાંદીના દાગીનાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા બનાવ સંદર્ભે જીઆઇડીસી પોલીસે ગુનો નોધી તપાસ શરૂ કરી છે.

અંકલેશ્વર શહેર અને જીઆઇડીસી વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ચોરીના બનાવો વધ્યા છે તસ્કરો બેફામ બન્યા હોય તેવું લાગી રહ્યું છે ત્યારે આજે તસ્કરોએ ભગવાનના ધામને પણ ન છોડ્યું હતું અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલ પશુપતિનાથ મહાદેવ મંદિરમાં મધ્યરાત્રીના સમયે તસ્કરો ત્રાટક્યા હતા.તસ્કરોએ ગર્ભગૃહનો દરવાજો તોડી અંદર પ્રવેશ કરી શિવલિંગ પર મૂકવામાં આવેલ ચાંદીના નાગદેવતા, શ્રી ગણેશની મૂર્તિ સહિત પાંચ કિલોથી વધુના ચાંદીના દાગીનાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. સવારે પૂજારી પૂજન અર્ચન કરવા આવતા તેમને આ અંગેની જાણ થઈ હતી.બાદમાં તેઓએ મંદિરના ટ્રસ્ટીઓને જાણ કરી હતી.બનાવની જાણ થતાની સાથે જ જીઆઇડીસી પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મંદિરમાં લગાવાયેલ સીસીટીવી ફૂટેજ ચકાસતા અંદર બે અજાણ્યા ઈસમો જોવા મળ્યા હતા જેઓએ ચોરીને અંજામ આપ્યું હોવાનું હાલ પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે અંકલેશ્વર જીઆઇડીસી પોલીસે બનાવ સંદર્ભે ચોરી અંગેનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે

Next Story