અંકલેશ્વર: પોલીસ કર્મચારીઓ માટે પોસ્ટલ બેલેટથી મતદાનનું કરાયુ આયોજન
ચૂંટણીની કામગીરીમાં જોડાયેલ પોલીસ કર્મચારીઓ તેમજ હોમગાર્ડના જવાનોએ પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું હતું અને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.
BY Connect Gujarat Desk30 April 2024 8:14 AM GMT
X
Connect Gujarat Desk30 April 2024 8:14 AM GMT
અંકલેશ્વરમાં ચૂંટણીની કામગીરીમાં જોડાયેલ પોલીસ કર્મચારીઓ તેમજ હોમગાર્ડના જવાનોએ પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું હતું અને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.
ભારતના ચૂંટણી પંચની માર્ગદર્શિકા અન્વયે ચૂંટણી ફરજમાં રોકાયેલા અધિકારી-કર્મચારીઓને પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન કરવાનું થાય છે. જેને ધ્યાને લઈ લોકસભાની ચૂંટણી કાર્યમાં રોકાયેલા અધિકારી-કર્મચારીઓ તેમના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે ભરૂચ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા પોલીસ વિભાગ સહિત હોમગાર્ડના જવાનો માટે પોસ્ટલ બેલેટથી મતદાન કરી શકાય એ માટેનું આયીજન કરવામાં આવ્યું હતું. જેમાં અંકલેશ્વર વિધાનસભા મત વિસ્તારમાં ચૂંટણીની કામગીરીમાં જોડાયેલ પોલીસ કર્મચારીઓ અને હોમગાર્ડના જવાનોએ મતદાન કર્યું હતું
Next Story