/connect-gujarat/media/post_banners/0bc52e92c0f2ae066c32411d9ff548713a4f64361aedcfb1cd7d52e44121d082.jpg)
અંકલેશ્વરમાં ચૂંટણીની કામગીરીમાં જોડાયેલ પોલીસ કર્મચારીઓ તેમજ હોમગાર્ડના જવાનોએ પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું હતું અને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.
ભારતના ચૂંટણી પંચની માર્ગદર્શિકા અન્વયે ચૂંટણી ફરજમાં રોકાયેલા અધિકારી-કર્મચારીઓને પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન કરવાનું થાય છે. જેને ધ્યાને લઈ લોકસભાની ચૂંટણી કાર્યમાં રોકાયેલા અધિકારી-કર્મચારીઓ તેમના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે ભરૂચ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા પોલીસ વિભાગ સહિત હોમગાર્ડના જવાનો માટે પોસ્ટલ બેલેટથી મતદાન કરી શકાય એ માટેનું આયીજન કરવામાં આવ્યું હતું. જેમાં અંકલેશ્વર વિધાનસભા મત વિસ્તારમાં ચૂંટણીની કામગીરીમાં જોડાયેલ પોલીસ કર્મચારીઓ અને હોમગાર્ડના જવાનોએ મતદાન કર્યું હતું