અંકલેશ્વર: વાલિયાની 13 વર્ષની બાળકીએ માતાના ગર્ભમાં રહી સાંભળ્યુ સંગીત, આજે ભજન સમ્રાટ અનુપ જલોટા સાથે કરે છે ડ્યુએટ !

ભરૂચના અંતરિયાળ વાલિયા તાલુકાની 13 વર્ષીય દીકરીએ ભજન સમ્રાટ અનુપ જલોટા સાથે ગીત ગાય સંગીતના ક્ષેત્રે નવા આયામની શરૂઆત કરી છે.

New Update
અંકલેશ્વર: વાલિયાની 13 વર્ષની બાળકીએ માતાના ગર્ભમાં રહી સાંભળ્યુ સંગીત, આજે ભજન સમ્રાટ અનુપ જલોટા સાથે કરે છે ડ્યુએટ !

ભરૂચના અંતરિયાળ વાલિયા તાલુકાની 13 વર્ષીય દીકરીએ ભજન સમ્રાટ અનુપ જલોટા સાથે ગીત ગાય સંગીતના ક્ષેત્રે નવા આયામની શરૂઆત કરી છે.

રામ ભજલે યા તું ભજલે રહિમ… આ ગીત હાલ લોકપ્રિય થઈ રહ્યું છે છે. જે 13 વર્ષની બાળકી પ્રકૃતિ દેસાઇ અને અનુપ જલોટાના કંઠે ગાવામાં આવ્યું છે. આ બાળકી ભરૂચ જિલ્લાના વાલિયા ગામની છે. વાલિયા જેવા નાનકડા ગામથી પદ્મશ્રી અનુપ જલોટા સાથે ગીત ગાનાર બાળકીની સફર અંગે વાત કરીએ તો, ગીત સંગીત સહિતની કલા ગળથૂથીમાંથી મળે છે આ કહેવતને ભરૂચ જિલ્લાના વાલિયા ગામની માત્ર 13 વર્ષની બાળકીએ સાર્થક કરી બતાવી છે. વાલીયા ગામમાં રહેતી 13 વર્ષીય પ્રકૃતી દેસાઈને વારસામાં જ સંગીતનું જ્ઞાન મળ્યું છે. પ્રકૃતિ દેસાઇના પિતા ઉચેડિયા ગામની શાળામાં સંગીત શિક્ષક તરીકે ફરજ બજાવે છે. બાળકી જ્યારે માતાના ગર્ભમાં હતી એ સમયથી જ પિતા-માતા સંગીતના સૂરો થકી ગર્ભનું સિંચન કરતા હતા, જેની અસર આજે જોવા મળી રહી છે. પ્રકૃતિને નાનપણથી જ સંગીતમાં રુચિ વધી હતી અને માત્ર 13 વર્ષની વયે જ તેણે ભજન સમ્રાટ અનુપ જલોટા સાથે સંગીતના સુર આલાપ્યા છે. આ અંગે પ્રકૃતિ દેસાઇએ જણાવ્યુ હતું કે, પિતા યોગેશ દેસાઈ અને ભરૂચમાં રહેતા સંગીત ગુરુ જીજ્ઞેશ પટેલ પાસે સાંસ્ક્રુતિક સંગીતના પાઠ શીખી રહી છે અને પદ્મશ્રી અનુપ જલોટા સાથે ગીત ગાવાનો અનુભવ અદભૂત હતો.

આ અંગે પ્રકૃતિ દેસાઇના પિતા યોગેશ દેસાઈએ સમગ્ર સફર અંગેની વાત કરતાં જણાવ્યુ હતું કે, મારા પત્ની પણ શિક્ષક છે. તેઓ પ્રેગ્નેટ હતા ત્યારે હું તેમને સંગીત સાથે ભજનો અને ગીતો ગાઈને સંભળાવતો હતો.ત્યાર બાદ પ્રકૃતિનો જન્મ થતાં જ હું તેને પણ હાર્મોનિયમ પર સુવડાવી ગીતો ગાતો હતો. જેના કારણે આજે પ્રકૃતિને સંગીતનું ઘેલું લાગ્યું છે. આજે પ્રકૃતિ અને મારો 10 વર્ષનો પુત્ર દ્રશ્ય સંગીતમાં વિસારત મેળવી રહ્યા છે. મને ઘણી જ ખુશી છે કે, મારી પુત્રી અને પુત્ર આજે સંગીત ક્ષેત્રે આગળ વધી રહ્યા છે.

13 વર્ષની બાળકી હાલ સંગીત ક્ષેત્રે કમાલ કરી રહી છે અને તેના કંઠને લોકો પસંદ પણ કરી રહ્યા છે, ત્યારે આવનારા વર્ષોમાં બાળકી સફળતાના અનેક આયામો સર કરે એવી લોકો શુભેરછા આપી રહ્યા છે.

Read the Next Article

ભરૂચ: નર્મદા પરિક્રમાવાસીઓ માટે CM ભુપેન્દ્ર પટેલનો મહત્વનો નિર્ણય, હાંસોટના વમલેશ્વરમાં 100091 ચો.મી.જમીન ફાળવાય

ભરૂચના હાંસોટના વમલેશ્વર ખાતે નર્મદા પરિક્રમા પથના યાત્રાધામોના વિકાસ માટે મુખ્યમંત્રીએ મહત્વપૂર્ણ નિર્ણય લઈ 10091 ચો. મીટર જમીનની ફાળવણી કરી છે.

New Update
bhupendra

ભરૂચના હાંસોટના વમલેશ્વર ખાતે નર્મદા પરિક્રમા પથના યાત્રાધામોના વિકાસ માટે મુખ્યમંત્રીએ મહત્વપૂર્ણ નિર્ણય લઈ 10091 ચો. મીટર જમીનની ફાળવણી કરી છે.

નર્મદા પરિક્રમા માર્ગ પર આવેલા યાત્રાધામો અને પરિક્રમાપથ ખાતે યાત્રાધામોના વિકાસની કામગીરી અર્થે પ્રવાસન ખાતા (ઉદ્યોગ અને ખાણ) વિભાગને વહીવટી હુકમ- 3 હેઠળ જમીન તબદીલ કરી આપવામાં આવી છે.ગુજરાત રાજ્યમાં નર્મદા પરિક્રમા આગવી ઓળખ સાથે ધાર્મિક મહત્વ ધરાવે છે. વમલેશ્વર યાત્રાધામ સહિત નર્મદા પરિક્રમા માર્ગ પર આવેલા અને પરિક્રમાપથના યાત્રાધામોના વિકાસથી ગુજરાત અને મઘ્યપ્રદેશ રાજ્યના હજારો પરિક્રમાવાસીઓ અને શ્રદ્ધાળુને પડતી વિવિધ મુશ્કેલીઓ હવે ભૂતકાળ બનશે.રાજ્ય સરકારના આ સંવેદનશીલ નિર્ણયથી ખરા અર્થમાં ભરૂચ જિલ્લામાં પ્રવાસન વિભાગને પ્રોત્સાહન મળશે તેમજ સ્થાનિકોને પણ તેનો લાભ થનાર છે. નર્મદા પરિક્રમા માર્ગ પર આવેલા યાત્રાધામો અને પરિક્રમાપથ ખાતે યાત્રાધામોના વિકાસની કામગીરી અર્થે મહત્વનો નિર્ણય લઇ જમીન ફાળવવાની મુખ્યમંત્રીએ મંજૂરી આપી છે. પ્રવાસન ખાતા દ્વારા વમલેશ્વર ખાતે સર્વે નંબર 553 ની 10091 ચોરસ મીટર જમીન ફાળવવા અંગે સરકારમાં માંગણી કરવામાં આવી હતી. જેને અનુલક્ષી મુખ્યમંત્રીએ આ નિર્ણય કર્યો છે.
ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકામાં આવેલું વમલેશ્વર ધાર્મિક સ્થળોમાં ખૂબ વિખ્યાત યાત્રાધામ છે. આ યાત્રાધામ સાથે નર્મદા પરિક્રમા ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. વહીવટી મંજૂર હુકમ 3 હેઠળ તબદીલ કરતા મુખ્યમંત્રીનો આ નિર્ણય મહત્વપૂર્ણ બની રહેશે.