અંકલેશ્વર : વોર્ડ નં. 4ના નવીનગરી વિસ્તારમાં ઉભરાતી ગટરથી સ્થાનિકો ત્રાહિમામ…
શહેરમાં વોર્ડ નં. 4માં આવેલ નવીનગરી વિસ્તારમાં છેલ્લા 2 મહિનાથી ઉભરાતી ગટરના કારણે રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરમાં વોર્ડ નં. 4માં આવેલ નવીનગરી વિસ્તારમાં છેલ્લા 2 મહિનાથી ઉભરાતી ગટરના કારણે રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.
અંકલેશ્વર શહેરમાં ઉભરાતી ગટરના કારણે સ્થાનિક રહેવાસીઓને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અંકલેશ્વર શહેરના વોર્ડ નંબર 4માં આવેલી નવીનગરી ખાતે છેલ્લા 2 મહિનાથી સતત ગટરનું ગંદુ પાણી મુખ્ય રસ્તા ઉપર ફરી વળતા સ્થાનિકોને પોતાના ઘરે આવતા જતા ગંદા પાણીમાંથી પસાર થવાનો વારો આવ્યો છે. આ બાબતે સ્થાનિકો દ્વારા અવારનવાર અંકલેશ્વર નગરપાલિકાના સત્તાધીશોને રજૂઆત કરવામાં આવી છે. પણ કોઈ નક્કર કામગીરી ન થતા સ્થાનિકોમાં પાલિકા પ્રત્યે રોષની લાગણી ફેલાય છે. તો બીજી તરફ, ગંદા પાણીના કારણે અહીના વિસ્તારમાં રોગચાળો ફાટી નીકળે તેવી લોકોમાં દહેશત વર્તાય રહી છે, ત્યારે આંખ આડા કાન કરતી પાલિકા સ્થાનિકોનું સાંભળે તેવી માંગ ઉઠવા પામી છે.