New Update
/connect-gujarat/media/post_banners/daeabed3a597c91f444066c11c92fd27c186782d46b4f56a9105f593b8ae9148.jpg)
અંકલેશ્વરના સારંગપુર વિસ્તારમાં આવેલ શાંતિ નગર-૨ સોસાયટીમાં પરપ્રાંતીય યુવાનને અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે.
મૂળ મધ્યપ્રદેશના અને હાલ અંકલેશ્વરના સારંગપુર વિસ્તારમાં આવેલ શાંતિ નગર-૨ સોસાયટીમાં રહેતા ૧૯ વર્ષીય બીરન પ્રજાપતિ પોતાના રૂમ ઉપર એકલો હતો તે દરમિયાન તેણે છત ઉપર હુક સાથે દોરી વડે ફાંસો લગાવી ગળે ફાંસો ખાઈ લીધો હતો આ અંગે પડોશીઓએ જી.આઈ.ડી.સી. પોલીસ મથકે જાણ કરતા પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને મૃતકના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે અંકલેશ્વરના સરકારી દવાખાને ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.