Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર: પરપ્રાંતિય યુવાને ફાળે ફાંસો લાગાવી આપઘાત કરતા ચકચાર,પોલીસે તપાસ શરૂ કરી

સારંગપુર વિસ્તારમાં આવેલ શાંતિ નગર-૨ સોસાયટીમાં પરપ્રાંતીય યુવાનને અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે.

X

અંકલેશ્વરના સારંગપુર વિસ્તારમાં આવેલ શાંતિ નગર-૨ સોસાયટીમાં પરપ્રાંતીય યુવાનને અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે.

મૂળ મધ્યપ્રદેશના અને હાલ અંકલેશ્વરના સારંગપુર વિસ્તારમાં આવેલ શાંતિ નગર-૨ સોસાયટીમાં રહેતા ૧૯ વર્ષીય બીરન પ્રજાપતિ પોતાના રૂમ ઉપર એકલો હતો તે દરમિયાન તેણે છત ઉપર હુક સાથે દોરી વડે ફાંસો લગાવી ગળે ફાંસો ખાઈ લીધો હતો આ અંગે પડોશીઓએ જી.આઈ.ડી.સી. પોલીસ મથકે જાણ કરતા પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને મૃતકના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે અંકલેશ્વરના સરકારી દવાખાને ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.

Next Story