Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર: આપના નેતા સંદીપ પાઠકના પૂતળાનું દહન કરે તે પહેલા યુથ કોંગ્રેસના કાર્યકરોની અટકાયત

આપના નેતા સંદીપ પાઠકના પૂતળા દહન કરે તે પહેલા અંકલેશ્વરમાં યુથ કોંગ્રેસના 6 જેટલા કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી

X

આપના નેતા સંદીપ પાઠકના પૂતળા દહન કરે તે પહેલા અંકલેશ્વરમાં યુથ કોંગ્રેસના 6 જેટલા કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી

ગત તારીખ-14મી ફેબ્રુયારીના રોજ આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રભારી સંદીપ પાઠકે ભરુચ જિલ્લાની મુલાકાત લીધી હતી તે દરમિયાન તેઓએ મર્હુમ અહેમદ પટેલ અંગે ટિપ્પણી કરવા વિવાદ સર્જાયો હતો જે ટિપ્પણીને લઈ કોંગ્રેસ દ્વારા ભરુચ-અંકલેશ્વર ખાતે આપ નેતા સંદીપ પાઠકના પૂતળા દહનનો કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી હતી જે પૂતળા દહનનો કાર્યક્રમ યોજાય તે પહેલા જ પોલીસ વિભાગ દ્વારા 6 જેટલા કોંગ્રેસના કાર્યકરોની તેઓના ઘરેથી અટકાયત કરવામાં આવી હતી.અને તેઓને નજર કેદ કરવામાં આવ્યા હતા.

Next Story