અંકલેશ્વર: આપના નેતા સંદીપ પાઠકના પૂતળાનું દહન કરે તે પહેલા યુથ કોંગ્રેસના કાર્યકરોની અટકાયત

આપના નેતા સંદીપ પાઠકના પૂતળા દહન કરે તે પહેલા અંકલેશ્વરમાં યુથ કોંગ્રેસના 6 જેટલા કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી

New Update
અંકલેશ્વર: આપના નેતા સંદીપ પાઠકના પૂતળાનું દહન કરે તે પહેલા યુથ કોંગ્રેસના કાર્યકરોની અટકાયત

આપના નેતા સંદીપ પાઠકના પૂતળા દહન કરે તે પહેલા અંકલેશ્વરમાં યુથ કોંગ્રેસના 6 જેટલા કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી

ગત તારીખ-14મી ફેબ્રુયારીના રોજ આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રભારી સંદીપ પાઠકે ભરુચ જિલ્લાની મુલાકાત લીધી હતી તે દરમિયાન તેઓએ મર્હુમ અહેમદ પટેલ અંગે ટિપ્પણી કરવા વિવાદ સર્જાયો હતો જે ટિપ્પણીને લઈ કોંગ્રેસ દ્વારા ભરુચ-અંકલેશ્વર ખાતે આપ નેતા સંદીપ પાઠકના પૂતળા દહનનો કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી હતી જે પૂતળા દહનનો કાર્યક્રમ યોજાય તે પહેલા જ પોલીસ વિભાગ દ્વારા 6 જેટલા કોંગ્રેસના કાર્યકરોની તેઓના ઘરેથી અટકાયત કરવામાં આવી હતી.અને તેઓને નજર કેદ કરવામાં આવ્યા હતા.

Read the Next Article

ભરૂચ જિલ્લાની 67 ગ્રામપંચાયતોમાં રવિવારે ચૂંટણી યોજાશે, કુલ 18 પંચાયત સમરસ જાહેર

ગ્રામ પંચાયતો માટે સામાન્ય અને પેટાચૂંટણી યોજાનાર છે.  જે પૈકી ભરૂચ જિલ્લામાં ૦૯ તાલુકામાં ૬૭ ગ્રામ પંચાયતોમાં સામાન્ય/મધ્યસત્ર/પેટા ચૂંટણી યોજાશે. જયારે ૧૮ ગ્રામ પંચાયતો સંપૂર્ણ બિનહરીફ જાહેર થઈ

New Update
Bharuch Grampanchayat Election
રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા રાજ્યમાં ૨૨મી જૂનના રોજ આઠ હજારથી વધુ ગ્રામ પંચાયતો માટે સામાન્ય અને પેટાચૂંટણી યોજાનાર છે.  જે પૈકી ભરૂચ જિલ્લામાં ૦૯ તાલુકામાં ૬૭ ગ્રામ પંચાયતોમાં સામાન્ય/મધ્યસત્ર/પેટા ચૂંટણી યોજાશે. જયારે ૧૮ ગ્રામ પંચાયતો સંપૂર્ણ બિનહરીફ જાહેર થઈ હતી.ભરૂચ જિલ્લાના વિવિધ તાલુકાઓમાં તા.૦૧/૦૪/૨૦૨૨થી તા.૩૦/૦૬/૨૦૨૫ સુધીની મુદત પુરી થતી પંચાયતો ભરૂચ જિલ્લાની ૨૧૩ ગ્રામ પંચાયતોની ચૂંટણી પૈકી ૬૩ સામાન્ય,  ૦૫ વિસર્જન, અને પેટા ૧૪૫ મળી કુલ ૨૧૩ ગ્રામ પંચાયતોમાં ચૂંટણી યોજાનાર હતી. 
      
આગામી તા.૨૨/૦૬/૨૦૨૫ના રોજ ભરૂચ જિલ્લાના તાલુકાઓમાં કુલ ૬૭ ગ્રામ પંચાયતો માટેની ચૂંટણી યોજાનાર છે. તેમજ કુલ-૬૮ પંચાયતો પૈકી ૧૮ ગ્રામ પંચાયતો સંપૂર્ણ બિનહરીફ વિજેતા થઈ છે. જેમાં આમોદ તાલુકાની ૦૩, વાગરાની ૦૧, ભરૂચ તાલુકાની ૦૧ અંકલેશ્વરની ૦૪, હાંસોટ તાલુકાની ૦૭, ઝઘડીયા તાલુકાની ૦૨  ગ્રામ પંચાયતોમાં બિનહરીફ જીત જાહેર થઈ છે. કુલ ૧૭૪ મતદાન મથકોમાં મતદાન યોજાશે. આ ચૂંટણીમાં નોટાનો અમલ કરવામાં આવશે.આ ચૂંટણીમાં બેલેટ પેપરનો ઉપયોગ કરવામાં આવશે..
Latest Stories