Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વરનો સૂરવાડી બીજ ફરી એકવાર સાબિત થયો અકસ્માત ઝોન, કારની ટક્કર લાગ્યા બાદ બ્રિજ પરથી નીચે પટકાતા બાઇક સવાર યુવાનનું મોત

સુરવાડી ઓવરબ્રિજ પર પૂર ઝડપે જઈ રહેલ કારના ચાલકે બાઇકને ટક્કર મારતા બાઇક સવાર બે યુવાનો બ્રિજ પરથી નીચે પટકાયા હતા

અંકલેશ્વરનો સૂરવાડી બીજ ફરી એકવાર સાબિત થયો અકસ્માત ઝોન, કારની ટક્કર લાગ્યા બાદ બ્રિજ પરથી નીચે પટકાતા બાઇક સવાર યુવાનનું મોત
X

અંકલેશ્વરના સુરવાડી ઓવરબ્રિજ પર પૂર ઝડપે જઈ રહેલ કારના ચાલકે બાઇકને ટક્કર મારતા બાઇક સવાર બે યુવાનો બ્રિજ પરથી નીચે પટકાયા હતા જેમાં ગંભીર ઇજાના પગલે એક યુવાનનું મોત નીપજયું હતું જ્યારે અન્ય એક યુવાનને ઇજા પહોંચી હતી

અંકલેશ્વરના ગડખોલ પાટિયા પર સુરવાડી રેલ્વે ફાટક પર બનેલ ઓવરબ્રિજ દિવસેને દિવસે અકસ્માત ઝોન બની રહ્યો છે તાજેતરમાં જ આ બ્રિજ પર અકસ્માત સર્જાયો હતો જેમાં બાઇક સવાર પરિવારને ઇજા પહોંચી હતી ત્યારે આજરોજ અકસ્માતની વધુ એક ઘટના પ્રકાશમાં આવી હતી. આજરોજ બપોરના સમયે બાઇક સવાર બે યુવાનો બ્રિજ પરથી પસાર થઈ રહ્યા હતા આ દરમ્યાન પૂર ઝડપે આવી રહેલ કારના ચાલકે બાઇકને પાછળથી ટકકર મારી હતી જેમાં બાઇક સવાર બન્ને યુવાનો બ્રિજ પરથી નીચે પટકાયા હતા. 15 ફૂટ ઊંચેથી પટકાયેલ એક યુવાનનું ગંભીર ઇજાના પગલે ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજયું હતું જ્યારે અન્ય યુવાનને ઇજા પહોંચતા 108 એમ્બ્યુલન્સની મદદથી સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બનાવની જાણ થતાની સાથે જ અંકલેશ્વર શહેર પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડયો હતો.

Next Story