અંકલેશ્વરનો સૂરવાડી બીજ ફરી એકવાર સાબિત થયો અકસ્માત ઝોન, કારની ટક્કર લાગ્યા બાદ બ્રિજ પરથી નીચે પટકાતા બાઇક સવાર યુવાનનું મોત

સુરવાડી ઓવરબ્રિજ પર પૂર ઝડપે જઈ રહેલ કારના ચાલકે બાઇકને ટક્કર મારતા બાઇક સવાર બે યુવાનો બ્રિજ પરથી નીચે પટકાયા હતા

New Update
અંકલેશ્વરનો સૂરવાડી બીજ ફરી એકવાર સાબિત થયો અકસ્માત ઝોન, કારની ટક્કર લાગ્યા બાદ બ્રિજ પરથી નીચે પટકાતા બાઇક સવાર યુવાનનું મોત

અંકલેશ્વરના સુરવાડી ઓવરબ્રિજ પર પૂર ઝડપે જઈ રહેલ કારના ચાલકે બાઇકને ટક્કર મારતા બાઇક સવાર બે યુવાનો બ્રિજ પરથી નીચે પટકાયા હતા જેમાં ગંભીર ઇજાના પગલે એક યુવાનનું મોત નીપજયું હતું જ્યારે અન્ય એક યુવાનને ઇજા પહોંચી હતી

અંકલેશ્વરના ગડખોલ પાટિયા પર સુરવાડી રેલ્વે ફાટક પર બનેલ ઓવરબ્રિજ દિવસેને દિવસે અકસ્માત ઝોન બની રહ્યો છે તાજેતરમાં જ આ બ્રિજ પર અકસ્માત સર્જાયો હતો જેમાં બાઇક સવાર પરિવારને ઇજા પહોંચી હતી ત્યારે આજરોજ અકસ્માતની વધુ એક ઘટના પ્રકાશમાં આવી હતી. આજરોજ બપોરના સમયે બાઇક સવાર બે યુવાનો બ્રિજ પરથી પસાર થઈ રહ્યા હતા આ દરમ્યાન પૂર ઝડપે આવી રહેલ કારના ચાલકે બાઇકને પાછળથી ટકકર મારી હતી જેમાં બાઇક સવાર બન્ને યુવાનો બ્રિજ પરથી નીચે પટકાયા હતા. 15 ફૂટ ઊંચેથી પટકાયેલ એક યુવાનનું ગંભીર ઇજાના પગલે ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજયું હતું જ્યારે અન્ય યુવાનને ઇજા પહોંચતા 108 એમ્બ્યુલન્સની મદદથી સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બનાવની જાણ થતાની સાથે જ અંકલેશ્વર શહેર પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડયો હતો. 

Read the Next Article

ભરૂચ જિલ્લામાં 67 ગ્રામપંચાયતની ચૂંટણીમાં આવતીકાલે મતદાન પ્રક્રિયા યોજાશે, વહીવટી તંત્ર બન્યું સજ્જ

ભરૂચ જિલ્લાની કુલ 67 ગ્રામપંચાયતોમાં મતદાન પ્રક્રિયા યોજાવાની છે.જિલ્લામાંથી 18 ગ્રામપંચાયતો સમરસ તરીકે જાહેર થવાથી ત્યાં ચૂંટણી યોજાવાની નથી

New Update
  • આવતીકાલે ગ્રામપંચાયતોની ચૂંટણી

  • ભરૂચની 67 પંચાયતોમાં યોજાશે મતદાન

  • 18 પંચાયત સમરસ જાહેર થઈ

  • ચૂંટણીની સામગ્રી મતદાન મથકો પર કરાય રવાના

  • ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવાશે

પંચાયતી રાજના સૌથી મોટા લોક ઉત્સવ ગ્રામપંચાયતોની ચૂંટણીને લઇ ભરૂચ વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. આજરોજ  મામલતદાર કચેરીઓ ખાતેથી ચૂંટણીની સામગ્રી અને કર્મચારીઓને મતદાન મથકો પર રવાના કરવામાં આવ્યા હતા
ભરૂચ જિલ્લામાં આવતીકાલે યોજાનાર ગ્રામપંચાયત ચૂંટણીને લઈ વહીવટી તંત્ર સજ્જ બન્યું છે.જિલ્લાના વિવિધ તાલુકાઓમાં આવેલ મામલતદાર કચેરીઓમાંથી ચૂંટણી સામગ્રી તથા સ્ટાફને મતદાન મથકો પર રવાના કરવામાં આવ્યા છે. આવતીકાલે તા.૨૨ જૂનના રોજ કુલ 67 ગ્રામપંચાયતોમાં મતદાન પ્રક્રિયા યોજાવાની છે.જિલ્લામાંથી 18 ગ્રામપંચાયતો સમરસ તરીકે જાહેર થવાથી ત્યાં ચૂંટણી યોજાવાની નથી. બાકીની 67 પંચાયતોમાં મતદાન માટે 174 મતદાન મથકો ગોઠવાયા છે.જ્યાં મતદારો સવારે ૭થી સાંજે ૬ વાગ્યા સુધીમાં  મતાધિકારનો ઉપયોગ કરી શકશે.
ભરૂચ જિલ્લામાં આવેલ 67 ગ્રામ પંચાયતોના 287 વોર્ડની ચૂંટણી પણ યોજાશે જેમાં 1.46 લાખ મતદારો પોતાના મત અધિકારનો ઉપયોગ કરશે જિલ્લાના કુલ 174 મતદાન મથકો પૈકી 20 મતદાન મથકોને અતિ સંવેદનશીલ તો 77 મતદાન મથકોને સંવેદનશીલ જાહેર કરવામાં આવ્યા છે આ તરફ 874 જેટલા સરકારી કર્મચારીઓ ચૂંટણીને કામગીરીમાં જોડાશે મતદાન દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે 665 પોલીસ કર્મીઓ ખડે પગે તેનાત રહેશે ભરૂચ જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં ગ્રામ પંચાયતોની ચૂંટણી પૂર્ણ થાય તે માટે વહીવટી તંત્ર દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે.