Connect Gujarat
ભરૂચ

ભરૂચ જિલ્લા સંયુક્ત શાળા સંચાલક મંડળની વાર્ષિક સાધારણ સભા મળી, પ્રાણપ્રશ્નો અંગે વાગરાના ધારાસભ્યએ સરકારમાં રજૂઆતની ખાતરી આપી...

સભામાં વાગરા ધારાસભ્ય અરૂણસિંહ રણાનું સન્માન કરવામાં આવ્યું હતું. મંડળનો વાર્ષિક હિસાબ અને પ્રમુખ સ્થાનેથી વિવિધ અહેવાલો સાથે મુદ્દા રજૂ કરાયા

ભરૂચ જિલ્લા સંયુક્ત શાળા સંચાલક મંડળની વાર્ષિક સાધારણ સભા મળી, પ્રાણપ્રશ્નો અંગે વાગરાના ધારાસભ્યએ સરકારમાં રજૂઆતની ખાતરી આપી...
X

ભરૂચ જિલ્લા સંયુક્ત શાળા સંચાલક મંડળની વાર્ષિક સાધારણ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણાએ પ્રાણપ્રશ્નો અંગે સરકારમાં રજૂઆત કરવાની ખાતરી આપી હતી. ભરૂચ ડિસ્ટ્રીકટ બેંકના સભાખંડમાં ભરૂચ જિલ્લા સંયુક્ત શાળા સંચાલક મંડળની વાર્ષિક સભા મળી હતી. આ સભામાં વાગરા ધારાસભ્ય અરૂણસિંહ રણાનું સન્માન કરવામાં આવ્યું હતું. મંડળનો વાર્ષિક હિસાબ અને પ્રમુખ સ્થાનેથી વિવિધ અહેવાલો સાથે મુદ્દા રજૂ કરાયા હતા.

જોકે, નવું સત્ર શરૂ થયું છે, ત્યારે જિલ્લાની માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક ગ્રાન્ટેડ અને નોન ગ્રાન્ટેડ શાળાઓના પ્રાણપ્રશ્નોને વાચા આપવામાં આવી હતી. જિલ્લામાં 100 આચાર્યોની જગ્યા ખાલી છે. શાળાઓમાં 150 શિક્ષકોની ખાલી જગ્યાએ પણ ભરતી થઈ નથી. શાળાઓમાં 96 ક્લાર્ક અને 14 પટ્ટાવાળા પણ નથી. જે અંગે ધારાસભ્યએ સરકારમાં રજૂઆત કરવા ખાતરી આપી પ્રશ્નો અને ખાલી જગ્યા ઉકેલવા આશ્વાસન આપ્યું હતું. સભામાં પ્રમુખ પ્રવીણસિંહ રણા, અધ્યક્ષ દિનેશ પંડ્યા, મહામંત્રી બી.આર.પટેલ સહિતના હોદેદારો, સભ્યો, આચાર્ય અને શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.

Next Story