ભરૂચ જિલ્લા સંયુક્ત શાળા સંચાલક મંડળની વાર્ષિક સાધારણ સભા મળી, પ્રાણપ્રશ્નો અંગે વાગરાના ધારાસભ્યએ સરકારમાં રજૂઆતની ખાતરી આપી...

સભામાં વાગરા ધારાસભ્ય અરૂણસિંહ રણાનું સન્માન કરવામાં આવ્યું હતું. મંડળનો વાર્ષિક હિસાબ અને પ્રમુખ સ્થાનેથી વિવિધ અહેવાલો સાથે મુદ્દા રજૂ કરાયા

New Update
ભરૂચ જિલ્લા સંયુક્ત શાળા સંચાલક મંડળની વાર્ષિક સાધારણ સભા મળી, પ્રાણપ્રશ્નો અંગે વાગરાના ધારાસભ્યએ સરકારમાં રજૂઆતની ખાતરી આપી...

ભરૂચ જિલ્લા સંયુક્ત શાળા સંચાલક મંડળની વાર્ષિક સાધારણ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણાએ પ્રાણપ્રશ્નો અંગે સરકારમાં રજૂઆત કરવાની ખાતરી આપી હતી. ભરૂચ ડિસ્ટ્રીકટ બેંકના સભાખંડમાં ભરૂચ જિલ્લા સંયુક્ત શાળા સંચાલક મંડળની વાર્ષિક સભા મળી હતી. આ સભામાં વાગરા ધારાસભ્ય અરૂણસિંહ રણાનું સન્માન કરવામાં આવ્યું હતું. મંડળનો વાર્ષિક હિસાબ અને પ્રમુખ સ્થાનેથી વિવિધ અહેવાલો સાથે મુદ્દા રજૂ કરાયા હતા.

જોકે, નવું સત્ર શરૂ થયું છે, ત્યારે જિલ્લાની માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક ગ્રાન્ટેડ અને નોન ગ્રાન્ટેડ શાળાઓના પ્રાણપ્રશ્નોને વાચા આપવામાં આવી હતી. જિલ્લામાં 100 આચાર્યોની જગ્યા ખાલી છે. શાળાઓમાં 150 શિક્ષકોની ખાલી જગ્યાએ પણ ભરતી થઈ નથી. શાળાઓમાં 96 ક્લાર્ક અને 14 પટ્ટાવાળા પણ નથી. જે અંગે ધારાસભ્યએ સરકારમાં રજૂઆત કરવા ખાતરી આપી પ્રશ્નો અને ખાલી જગ્યા ઉકેલવા આશ્વાસન આપ્યું હતું. સભામાં પ્રમુખ પ્રવીણસિંહ રણા, અધ્યક્ષ દિનેશ પંડ્યા, મહામંત્રી બી.આર.પટેલ સહિતના હોદેદારો, સભ્યો, આચાર્ય અને શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.

Read the Next Article

ભરૂચ જિલ્લામાં 67 ગ્રામપંચાયતની ચૂંટણીમાં આવતીકાલે મતદાન પ્રક્રિયા યોજાશે, વહીવટી તંત્ર બન્યું સજ્જ

ભરૂચ જિલ્લાની કુલ 67 ગ્રામપંચાયતોમાં મતદાન પ્રક્રિયા યોજાવાની છે.જિલ્લામાંથી 18 ગ્રામપંચાયતો સમરસ તરીકે જાહેર થવાથી ત્યાં ચૂંટણી યોજાવાની નથી

New Update
  • આવતીકાલે ગ્રામપંચાયતોની ચૂંટણી

  • ભરૂચની 67 પંચાયતોમાં યોજાશે મતદાન

  • 18 પંચાયત સમરસ જાહેર થઈ

  • ચૂંટણીની સામગ્રી મતદાન મથકો પર કરાય રવાના

  • ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવાશે

પંચાયતી રાજના સૌથી મોટા લોક ઉત્સવ ગ્રામપંચાયતોની ચૂંટણીને લઇ ભરૂચ વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. આજરોજ  મામલતદાર કચેરીઓ ખાતેથી ચૂંટણીની સામગ્રી અને કર્મચારીઓને મતદાન મથકો પર રવાના કરવામાં આવ્યા હતા
ભરૂચ જિલ્લામાં આવતીકાલે યોજાનાર ગ્રામપંચાયત ચૂંટણીને લઈ વહીવટી તંત્ર સજ્જ બન્યું છે.જિલ્લાના વિવિધ તાલુકાઓમાં આવેલ મામલતદાર કચેરીઓમાંથી ચૂંટણી સામગ્રી તથા સ્ટાફને મતદાન મથકો પર રવાના કરવામાં આવ્યા છે. આવતીકાલે તા.૨૨ જૂનના રોજ કુલ 67 ગ્રામપંચાયતોમાં મતદાન પ્રક્રિયા યોજાવાની છે.જિલ્લામાંથી 18 ગ્રામપંચાયતો સમરસ તરીકે જાહેર થવાથી ત્યાં ચૂંટણી યોજાવાની નથી. બાકીની 67 પંચાયતોમાં મતદાન માટે 174 મતદાન મથકો ગોઠવાયા છે.જ્યાં મતદારો સવારે ૭થી સાંજે ૬ વાગ્યા સુધીમાં  મતાધિકારનો ઉપયોગ કરી શકશે.
ભરૂચ જિલ્લામાં આવેલ 67 ગ્રામ પંચાયતોના 287 વોર્ડની ચૂંટણી પણ યોજાશે જેમાં 1.46 લાખ મતદારો પોતાના મત અધિકારનો ઉપયોગ કરશે જિલ્લાના કુલ 174 મતદાન મથકો પૈકી 20 મતદાન મથકોને અતિ સંવેદનશીલ તો 77 મતદાન મથકોને સંવેદનશીલ જાહેર કરવામાં આવ્યા છે આ તરફ 874 જેટલા સરકારી કર્મચારીઓ ચૂંટણીને કામગીરીમાં જોડાશે મતદાન દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે 665 પોલીસ કર્મીઓ ખડે પગે તેનાત રહેશે ભરૂચ જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં ગ્રામ પંચાયતોની ચૂંટણી પૂર્ણ થાય તે માટે વહીવટી તંત્ર દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે.