ભરૂચ: ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવા સામે 13 ગુના નોંધાયા છે,વાંચો બે પત્નિ પાસે છે કેટલી મિલકત

ચૈતર વસાવાએ ભરૂચ લોકસભા બેઠક પર ગુરૂવારે તેમનું નામાંકન ભર્યું હતું. જોકે 2022 માં દર્શાવેલ ઉંમર જ 2024 માં પણ 34 વર્ષની દર્શાવી હતી

New Update
ભરૂચ: ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવા સામે 13 ગુના નોંધાયા છે,વાંચો બે પત્નિ પાસે છે કેટલી મિલકત

ઇન્ડિગઠબંધનના આપના ઉમેદવાર ચૈતર વસાવાએ ભરૂચ લોકસભા બેઠક પર ગુરૂવારે તેમનું નામાંકન ભર્યું હતું. જોકે 2022 માં દર્શાવેલ ઉંમર જ 2024 માં પણ 34 વર્ષની દર્શાવી હતી. તેઓ સામે 13 ગુના પૈકી 10 દેડિયાપાડા અને એક એક કેવડિયા, સાગબારા તેમજ રાજપીપળા પોલીસ મથકે નોંધાયેલા છે.2022 ની વિધાનસભા વખતે દર્શાવેલ જંગમ મિલકત સામે 2024 માં સોંગદનામાં મુજબ તેઓની જંગમ મિલકતમાં રૂપિયા 2.96 લાખનો વધારો થયો છે. જ્યારે 20 લાખ સ્થાવર મિલકત સ્થિર રહી છે.

બે પત્નીઓ પૈકી શકુંતલાબેનની જંગમ મિલકત 15 મહિનામાં 3.43 લાખ જ્યારે વર્ષાબેનની 11.51 લાખ ઘટી છે. તેઓ પાસે એક SUV કાર છે. જોકે સોનામાં તેઓ અને બન્ને પત્નીના નામે બે બે તોલાનો વધારો થયો છે. તેમની પાસે 5 તોલા, શકુંતલાબેન પાસે 9 તોલા જ્યારે વર્ષાબેન પાસે 5 તોલા સોનું છે. હાથ પર રોકડ તેઓ પાસે 2 લાખ, શકુંતલાબેન પાસે 2 લાખ જ્યારે વર્ષાબેન પાસે 50 હજાર હોવાનું દર્શાવ્યું છે.BRS ગ્રેજ્યુએટ થયેલા ચૈતર વસાવાની આવકનો સ્ત્રોત ખેતી, લેબર કોન્ટ્રાકટ અને વેપાર છે. શકતુલાબેન પણ ખેતી અને વેપાર કરે છે. જ્યારે બીજા પત્ની વર્ષાબેન ગૃહિણી છે.

Read the Next Article

અંકલેશ્વર: ખરોડ ગામે યુવાનની હત્યા કરનાર આરોપીની ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ, અગાઉ થયેલ માથાકૂટની રીસ રાખી હત્યા કરાય

અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામેથી મળી આવેલ મૃતદેહના મામલામાં ચોકાવનારો ખુલાસો થયો છે પોલીસે યુવાનની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

New Update

અંકલેશ્વરના ખરોડમાં મળી આવ્યો હતો મૃતદેહ

હત્યા થઈ હોવાનું આવ્યું બહાર

પોલીસે હત્યારાની કરી ધરપડક

અગાઉના ઝઘડાની રીસ રાખી કરાય હત્યા

પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી


અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામેથી મળી આવેલ મૃતદેહના મામલામાં ચોકાવનારો ખુલાસો થયો છે પોલીસે યુવાનની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અંકલેશ્વરના ખરોડ ગામની સીમમાં આવેલ બાકરોલ વગામાં ખેતરના શેઢા ઉપર અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ વિકૃત હાલતમાં મળી આવ્યો હતો.આ બાબતે પાનોલી પોલીસે ગુનો નોંધી મૃત્યુનું કારણ જાણવા તપાસ શરૂ કરી હતી.આ તરફ ક્રાઇમ બ્રાન્ચ પણ તપાસમાં જોડાય હતી દરમ્યામ પોલીસને બાતમી મળી હતી કે આ ગુનામાં  અક્કલકુવાનો શંકર મોવરીયા વસાવા નામનો ઈસમ સંડોવાયો છે જે અંકલેશ્વર તથા પાનોલી વિસ્તારમા છુટક મજુરી કરે છે.પોલીસે હ્યુમન ઇન્ટેલીજન્સના આધારે આરોપીની ખરોડ નજીકથી ધરપકડ કરી હતી. પોલીસની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો. આ મામલામાં મરણ જનાર ઇસમે થોડા દિવસ અગાઉ મારમારી 1500 રૂપિયા લૂંટી લીધા હતા જેની રીસ રાખી આરોપી શંકર વસાવાએ મૃતકને શોધી તેને મજૂરી કામ અપાવવાના બહાને ખરોડ ગામની સીમમાં લઈ ગયો હતો અને ત્યાં પથ્થરના ઘા મારી હત્યા કર્યા બાદ તેના વતન ફરાર થઇ ગયો હતો.પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.