Connect Gujarat
ભરૂચ

ભરૂચ: નારાયણ વિદ્યાલય ખાતે 15મુ જ્ઞાનસત્ર યોજાયું, 65 શિક્ષકોએ પ્રેઝન્ટેશન રજૂ કર્યા

ભરૂચ શક્તિનાથ વિસ્તારમાં આવેલ નારાયણ વિદ્યાલય ખાતે 8- 9 ઓક્ટોબર બે દિવસ જ્ઞાન સત્ર કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યું છે.

ભરૂચ: નારાયણ વિદ્યાલય ખાતે 15મુ જ્ઞાનસત્ર યોજાયું, 65 શિક્ષકોએ પ્રેઝન્ટેશન રજૂ કર્યા
X

ભરૂચના શક્તિનાથ વિસ્તારમાં આવેલ નારાયણ વિદ્યાલય ખાતે 15માં જ્ઞાનસત્રનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક દુષ્યંત પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

ભરૂચ શક્તિનાથ વિસ્તારમાં આવેલ નારાયણ વિદ્યાલય ખાતે 8- 9 ઓક્ટોબર બે દિવસ જ્ઞાન સત્ર કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યું છે. શાળાના શિક્ષકો સતત નવા જ્ઞાનથી અપડેટ અને અપગ્રેટ રહે તથા વૈશ્વિક પ્રવાહો સાથે તાલમેલ મિલાવી શકે તેમ જ વર્ગખંડમાં શ્રેષ્ઠ વિષયવસ્તુ અને ઉત્તમ કૌશલ્યો પ્રદાન કરતા રહેતી હેતુથી આ જ્ઞાન સત્રનું આયોજન કરવામાં આવ્યું છે આ જ્ઞાન સત્રમાં 65 શિક્ષકોએ 45 જેટલા વિષયો પર પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું.આ પ્રસંગે સ્વામી રામદાસ બાપુ, ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલ, વિશ્વભારતી ગ્રુપ ઓફ ઇન્સ્ટિટયૂટ અમદાવાદના મેનેજિંગ ટ્રસ્ટી કાર્તિકે શુક્લ, નારાયણ વિદ્યાલયના ચેરમેન હેમંત પ્રજાપતિ, શાળાના આચાર્ય ડો.ભગુભાઈ પ્રજાપતિ તેમજ શિક્ષકો અને શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો

Next Story