ભરૂચ: આમોદ ન.પા.એ વીજ કંપનીનું રૂ.2.20 કરોડનું બાકી બિલ ન ભરતા સ્ટ્રીટ લાઇટના 23 જોડાણ કપાયા,નગરમાં છવાયો અંધારપટ

નગરપાલિકાનું વૉટર વર્કસનું ૨.૨૦ કરોડનું બિલ બાકી પડતા દક્ષિણ ગુજરાત વીજ કંપનીએ આમોદ નગરના સ્ટ્રીટ લાઈટના ૨૩ જોડાણો કાપી નાખતા આમોદ નગરમાં અંધારપટ છવાઈ ગયો છે

New Update
ભરૂચ: આમોદ ન.પા.એ વીજ કંપનીનું રૂ.2.20 કરોડનું બાકી બિલ ન ભરતા સ્ટ્રીટ લાઇટના 23 જોડાણ કપાયા,નગરમાં છવાયો અંધારપટ

ભરૂચની આમોદ નગરપાલિકાનું વૉટર વર્કસનું ૨.૨૦ કરોડનું બિલ બાકી પડતા દક્ષિણ ગુજરાત વીજ કંપનીએ આમોદ નગરના સ્ટ્રીટ લાઈટના ૨૩ જોડાણો કાપી નાખતા આમોદ નગરમાં અંધારપટ છવાઈ ગયો છે

ભરૂચની આમોદ નગરપાલિકાનું વૉટર વર્કસનું ૨.૨૦ કરોડનું બિલ બાકી પડતા દક્ષિણ ગુજરાત વીજ કંપનીએ આમોદ નગરના સ્ટ્રીટ લાઈટના ૨૩ જોડાણો કાપી નાખતા આમોદ નગરમાં અંધારપટ છવાઈ ગયો હતો.જેથી આમોદના નગરજનોમાં પાલિકા શાસકો સામે રોષ જોવા મળી રહ્યો છે ત્યારે આજ રોજ આમોદ નગરના વેપારી આગેવાનોએ આમોદ મામલતદાર કચેરી ખાતે નાયબ મામલતદાર કિંજલ પરમાર,પોલીસ સ્ટેશન તેમજ નગરપાલિકા ખાતે આવેદનપત્ર આપી આમોદ નગરમાં સ્ટ્રીટ ચાલુ કરવા માટે માંગ કરી હતી. વધુમાં વેપારી આગેવાનોએ આવેદનપત્રમાં જણાવ્યું હતું કે જે લોકો નિયમિત રીતે વેરો ભરે છે તેમનો શુ વાંક કહી પાલિકા શાસકોના વહીવટ સામે પ્રશ્ન ઉઠાવ્યો હતો.

Read the Next Article

અંકલેશ્વર: ખરોડ ગામે યુવાનની હત્યા કરનાર આરોપીની ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ, અગાઉ થયેલ માથાકૂટની રીસ રાખી હત્યા કરાય

અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામેથી મળી આવેલ મૃતદેહના મામલામાં ચોકાવનારો ખુલાસો થયો છે પોલીસે યુવાનની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

New Update

અંકલેશ્વરના ખરોડમાં મળી આવ્યો હતો મૃતદેહ

હત્યા થઈ હોવાનું આવ્યું બહાર

પોલીસે હત્યારાની કરી ધરપડક

અગાઉના ઝઘડાની રીસ રાખી કરાય હત્યા

પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી


અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામેથી મળી આવેલ મૃતદેહના મામલામાં ચોકાવનારો ખુલાસો થયો છે પોલીસે યુવાનની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અંકલેશ્વરના ખરોડ ગામની સીમમાં આવેલ બાકરોલ વગામાં ખેતરના શેઢા ઉપર અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ વિકૃત હાલતમાં મળી આવ્યો હતો.આ બાબતે પાનોલી પોલીસે ગુનો નોંધી મૃત્યુનું કારણ જાણવા તપાસ શરૂ કરી હતી.આ તરફ ક્રાઇમ બ્રાન્ચ પણ તપાસમાં જોડાય હતી દરમ્યામ પોલીસને બાતમી મળી હતી કે આ ગુનામાં  અક્કલકુવાનો શંકર મોવરીયા વસાવા નામનો ઈસમ સંડોવાયો છે જે અંકલેશ્વર તથા પાનોલી વિસ્તારમા છુટક મજુરી કરે છે.પોલીસે હ્યુમન ઇન્ટેલીજન્સના આધારે આરોપીની ખરોડ નજીકથી ધરપકડ કરી હતી. પોલીસની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો. આ મામલામાં મરણ જનાર ઇસમે થોડા દિવસ અગાઉ મારમારી 1500 રૂપિયા લૂંટી લીધા હતા જેની રીસ રાખી આરોપી શંકર વસાવાએ મૃતકને શોધી તેને મજૂરી કામ અપાવવાના બહાને ખરોડ ગામની સીમમાં લઈ ગયો હતો અને ત્યાં પથ્થરના ઘા મારી હત્યા કર્યા બાદ તેના વતન ફરાર થઇ ગયો હતો.પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.