ભરૂચ: ડોક્ટરના પ્રિસ્ક્રીપ્શન વગર નશાકારક સિરપનું વેચાણ કરતા 3 મેડિકલ સ્ટોર સીલ કરાયા,પોલીસ અને ફૂડ એન્ડ ડ્રગ વિભાગની કાર્યવાહી

નો ડ્રગ્સ ઇન ભરૂચ મુહિમ હેઠળ સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપના ઇન્ચાર્જ PI ઉત્સવ બારોટ, PSI આર.એલ. ખટાણા, આર.એસ.ચાવડાએ મેડિકલ સ્ટોર પર દરોડા પાડ્યા હતા.

New Update
ભરૂચ: ડોક્ટરના પ્રિસ્ક્રીપ્શન વગર નશાકારક સિરપનું વેચાણ કરતા 3 મેડિકલ સ્ટોર સીલ કરાયા,પોલીસ અને ફૂડ એન્ડ ડ્રગ વિભાગની કાર્યવાહી

ભરૂચના મેડિકલ સ્ટોર ઉપર ડોકટરના પ્રિપ્કીપશન વગર નશાકારક સીરપનું વેચાણ કરી યુવાધનને બરબાદ કરતા દવાની દુકાનો પર પોલીસ દ્વારા સર્જીકલ સ્ટ્રાઇક કરવામાં આવી હતી અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી

નો ડ્રગ્સ ઇન ભરૂચ મુહિમ હેઠળ સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપના ઇન્ચાર્જ PI ઉત્સવ બારોટ, PSI આર.એલ. ખટાણા, આર.એસ.ચાવડાએ મેડિકલ સ્ટોર પર દરોડા પાડ્યા હતા.ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના ઇન્સ્પેકટર કે.પી. વારલેકરને સાથે રાખી 11 દવાની દુકાનોએ ડમી ગ્રાહક મોકલી સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધરાયુ હતું. ડોકટરના પ્રિસ્ક્રિપ્શન વગર મેડિકલ સ્ટોર દ્વારા નશાકારક સીરપનું વેચાણ કરતા 3 દવાની દુકાનો ટ્રેપ થઈ ગઈ હતી.ભરૂચના શીતલ અને ભોલાવ બસ સ્ટેન્ડ સામે આવેલ પ્રમુખ મેડિકલ તેમજ નર્મદા કોલોની સામે આવેલ મંત્ર મેડિકલને નશાકારક સીરપ વેચવા બદલ તાત્કાલિક અસરથી સીલ કરી દેવાયા હતા.SOG અને ફૂડ એન્ડ ડ્રગ્સની આ ડ્રાઈવમાં મેડિકલ સ્ટોર પર નિયમ મુજબ ફાર્મસિસ્ટની ગેરહાજરીમાં જ દવાના વેચાણનો વેપલો પણ બહાર આવ્યો હતો.

Read the Next Article

ભરૂચ : આમોદ નેશનલ હાઇવે નં.64 પર આર.ટી.ઓ.ની તપાસથી ટ્રક ચાલકોમાં ફફડાટ

આમોદ નજીકના નેશનલ હાઇવે નં.64 પર ભરૂચ આર.ટી.ઓ. વિભાગ દ્વારા આજ રોજ ઓવરલોડ તેમજ કાગળ વિના દોડી રહેલા વાહનો સામે ચેકિંગ ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી

New Update
guj amod

90,000 રૂપિયાનો દંડ વસુલાયો, ઓવરલોડ અને બિનકાયદેસર વાહનો પર કાર્યવાહી

આમોદ નજીકના નેશનલ હાઇવે નં.64 પર ભરૂચ આર.ટી.ઓ. વિભાગ દ્વારા આજ રોજ ઓવરલોડ તેમજ કાગળ વિના દોડી રહેલા વાહનો સામે ચેકિંગ ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. આર.ટી.ઓ.ઇન્સ્પેક્ટર એમ.પી. ડાયમાની આગેવાની હેઠળ આ તપાસ દરમિયાન કુલ રૂ. 90,000 જેટલો દંડ વસૂલવામાં આવ્યો હતો.

આ માર્ગ પરથી દિવસ-રાત ભારે વાહનો પસાર થાય છે, જેમાં ખાસ કરીને નમક (મીઠું), રેતી અને હઝાર્ડ વેસ્ટ ભરેલ ટ્રકોનો સમાવેશ થાય છે. ઓવરલોડ અને સુરક્ષા નિયમોની અવગણનાથી અકસ્માતોની સંભાવના વધતી હોવાથી આર.ટી.ઓ. દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.તપાસની માહિતી વાયુવેગે ફેલાતા કેટલાય ટ્રક ચાલકોએ પોતાની ઓવરલોડ વાહનો રસ્તા કિનારે ઊભા રાખી દિધા હોવાની વિગતો સામે આવી છે. રાત્રિના સમયે દહેજ તરફ જતા મીઠું ભરેલ ટ્રકો અને હઝાર્ડ વેસ્ટવાળા વાહનો ગંભીર જોખમ ઊભું કરે છે, કારણ કે કેટલાક વાહનોમાંથી પ્રવાહી રોડ પર સરકે છે, જેને લીધે અકસ્માતોની ઘટનાઓ સર્જાઈ છે.તદુપરાંત, કરજણથી વહેલી સવારે પસાર થતી રેતી ભરેલી ટ્રકોમાં યોગ્ય કવરિંગ ન હોવાને કારણે રેતી ઉડીને પાછળ આવતા બાઈક સવારોને આંખમાં વળગી જાય છે. રાત્રી દરમિયાન કેટલીક ટ્રકોની લાઈટો પણ બંધ હોવાના કારણે માર્ગ પર અકસ્માતનો ભય વધ્યો છે.