ભરૂચ : હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત 8 દોડવીરો શહેરભરમાં 75 KM દોડશે, જિલ્લા કલેક્ટરે કરાવ્યુ પ્રસ્થાન...

ભરૂચ રનીંગ ક્લબના 8 દોડવીરોને જિલ્લા કલેકટર તુષાર સુમેરાએ ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યા હતા

New Update
ભરૂચ : હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત 8 દોડવીરો શહેરભરમાં 75 KM દોડશે, જિલ્લા કલેક્ટરે કરાવ્યુ પ્રસ્થાન...

આઝાદી કા અમૃત મહોત્સવ નિમિત્તે હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત ભરૂચ રનીંગ ક્લબ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં 75 કિલોમીટરની દોડનું આયોજન કરવામાં આવ્યું છે. તા. 14મી ઓગષ્ટના રોજ સાંજે 4 કલાકે ભરૂચ રનીંગ ક્લબના 8 દોડવીરોને જિલ્લા કલેકટર તુષાર સુમેરાએ ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યા હતા. દોડવીરો બીજા દિવસે એટલે કે, તા. 15મી ઓગષ્ટના રોજ સવારે 7 કલાકે માતરિયા તળાવ ખાતે રાષ્ટ્રગીતનું ગાન કરી દોડનું સમાપન કરશે.

પ્લાસ્ટિક મુક્ત ભારત, માય લિવેબલ ભરૂચ, ગ્રીન ભારત-ક્લીન ભારત અને ફીટ ભારતના ઉદ્દેશ્ય સાથે આ દોડનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે તમામ દોડવીરોને પ્રોત્સાહિત કરવા માટે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા સહિત રોટરી ક્લબ ઓફ ભરૂચ, રોટરી ક્લબ ઓફ ભરૂચ-ફેમિના, ભરૂચ એડવર્ટાઈઝમેન્ટ અને અંકલેશ્વર રનર્શ સહિતની સંસ્થાના દોડવીરો સહભાગી થયા હતા.

Read the Next Article

ભરૂચ: શેરબજારમાં ઉંચું વળતર અપાવવાની લાલચે 15 લોકો સાથે રૂ.1.59 કરોડની ઠગાઈ, એ ડિવિઝન પોલીસે તપાસ શરૂ કરી

ભરૂચના કર્મકાંડી ભુદેવ સહિત 15 લોકો સાથે શેર બજારમાં ઉંચું વળતર અપાવવાની લાલચ આપી ભેજાબાજે રૂ. રૂ.1.59 કરોડની છેતરપીંડી કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ

New Update
  • ભરૂચમાં ચકચારી મામલો પ્રકાશમાં આવ્યો

  • 15 લોકો સાથે આચરવામાં આવી ઠગાઈ

  • શેરબજારમાં ઉંચું વળતર અપાવવાની લાલચે ઠગાઈ

  • રૂ.1.59 કરોડની ઠગાઈ આચરવામાં આવી

  • ઠગ વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ મથકે નોંધાઇ ફરિયાદ

ભરૂચના નંદેલાવ રોડ આશીર્વાદ બંગલોઝમાં રહેતા કર્મકાંડી ભુદેવ સહિત 15 લોકો સાથે શેર બજારમાં ઉંચું વળતર અપાવવાની લાલચ આપી ભેજાબાજે રૂ. રૂ.1.59 કરોડની છેતરપીંડી કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
ભરૂચના નંદેલાવ રોડ આશીર્વાદ બંગલોઝમાં રહેતા અને કર્મકાંડ તેમજ ખેતી કરતા ચેતનકુમાર ગણપતરામ પુરોહિતનો ચાર વર્ષ પહેલાં ભરૂચના નિપન નગરમાં રહેતા રાહુલ અરવિંદ પંચાલ સાથે પરિચય થયો હતો. ચેતને પોતે મુંબઈની આઈ.આઈ એફ.એલ.નામની કંપનીમાં શેર બ્રોકર કામ તરીકે કામ કરતો હોવાનું જણાવ્યું તેમજ વધુ વળતર આપવાની ચેતનકુમારને લાલચ આપી હતી.વધુ વળતરની લાલચે ચેતન પુરોહિત અને અન્ય 15 જેટલા લોકોએ રાહુલ પંચાલને રૂ.1.59 કરોડ આપ્યા હતા.
શરૂઆતમાં રાહુલ વિશ્વાસ કેળવવા કેટલાક રૂપિયા વળતર પેટે પરત પણ આપ્યા હતા જોનકે બાદમાં તેણે રૂપિયા ચુકાવવાનું બંધ કરી દીધું હતું જેને પગલે ભેજાબાજ વિરુદ્ધ ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે.પોલીસે આ મામલે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.