ભરૂચ: વલ્લભ યુથ ઓર્ગેનાઈઝેશન દ્વારા રક્તદાન શિબિરનું કરવામાં આવ્યુ આયોજન

વલ્લભ યુથ ઓર્ગેનાઈઝેશન તરફથી જનરલ હોસ્પિટલ બ્લડ બેન્ક ભરૂચના સહયોગથી રક્તદાન શિબિરનુ આયોજન શેલ્ટર હોમ ખાતે કરવામાં આવ્યું હતું

New Update
ભરૂચ: વલ્લભ યુથ ઓર્ગેનાઈઝેશન દ્વારા રક્તદાન શિબિરનું કરવામાં આવ્યુ આયોજન

ભરૂચ વલ્લભ યુથ ઓર્ગેનાઈઝેશન તરફથી જનરલ હોસ્પિટલ બ્લડ બેન્ક ભરૂચના સહયોગથી રક્તદાન શિબિરનુ આયોજન શેલ્ટર હોમ ખાતે કરવામાં આવ્યું હતું

ઠાકોરજી અને પરમ પૂજ્ય ગોસ્વામી ૧૦૮ શ્રીવ્રજરાજકુમારજી મહોદયશ્રીની પ્રેરણા અને આશિર્વાદથી વલ્લભ યુથ ઓર્ગેનાઈઝેશન (VYO) ભરૂચ શાખા તરફથી જનરલ હોસ્પિટલ બ્લડ બેન્ક ભરૂચના સહયોગથી રક્તદાન શિબિરનુ આયોજન શેલ્ટર હોમ ખાતે કરવામાં આવ્યું જેમાં ઘણા લોકોએ સ્વૈચ્છિક રક્તદાન કર્યું જેમાં રક્તદાન કરનાર વ્યક્તિને સ્મૃતિચિન્હ તેમજ સર્ટિફિકેટ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા.જેમાં ભરૂચ વલ્લભ યુથ ઓર્ગેનાઈઝેશનના પ્રભારી વૈશાલીબેન શાહ,પ્રેસીડન્ટ ધિરેનભાઈ ભગત ,વર્ષાબેન ભોગી, સેવા યજ્ઞ સમિતિના કાર્યકર્તા હિમાંશુભાઈ,દિશાબેન ગાંધી તેમજ વલ્લભ યુથ ઓર્ગેનાઈઝેશનના કમિટી સભ્યો હાજર રહ્યા હતા