ભરૂચ : જુના તવરા ગામે મંગલ મઠના પ્રણેતાની 31મી પુણ્યતિથિ નિમિત્તે સ્મૃતિ મહોત્સવ યોજાયો...

તાલુકાના જુના તવરા ગામે મંગલ મઠના સંચાલક ચેતનદાસ મહારાજ છેલ્લા 31 વર્ષથી પૂજનીય મંગલદાસ સાહેબની પુણ્યતિથિની ભવ્ય ઉજવણી કરે છે

New Update
ભરૂચ : જુના તવરા ગામે મંગલ મઠના પ્રણેતાની 31મી પુણ્યતિથિ નિમિત્તે સ્મૃતિ મહોત્સવ યોજાયો...

ભરૂચ તાલુકાના જુના તવરા ગામે મંગલ મઠના પ્રણેતા મહંત 108 મંગલદાસ સાહેબની 31મી પુણ્યતિથિ નિમિત્તે સ્મૃતિ મહોત્સવ સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.

ભરૂચ તાલુકાના જુના તવરા ગામે મંગલ મઠના સંચાલક ચેતનદાસ મહારાજ છેલ્લા 31 વર્ષથી પૂજનીય મંગલદાસ સાહેબની પુણ્યતિથિની ભવ્ય ઉજવણી કરે છે, ત્યારે આ પ્રસંગે જુના તવરા ગામ સ્થિત મંગલમઠ ખાતે સમગ્ર ગુજરાત ભરના કબીર સંપ્રદાયના મહંતોની ઉપસ્થિતીમાં સ્મૃતિ મહોત્સવ સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. જેમાં ખાસ 108 માંજલપુરના કબીર સાહેબના ગુરુગાદી પતિ ખેમદાસ સાહેબ તથા અંકલેશ્વરના કબીર સંપ્રદાયના માજી પ્રમુખ ગુરુચરણદાસ સાહેબ તથા રામ કથાકાર ત્રીલોચનાબેન વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. જુના તવરા ગામના ગ્રામજનો પણ આ કાર્યક્રમમાં જોડાય કાર્યક્રમને સુશોભિત કર્યો હતો, જ્યાં કબીર સાહેબની વાતો તથા મંગલદાસ સાહેબના દ્રષ્ટાંતો વાગોળી સ્મૃતિ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

Read the Next Article

“વિશ્વ વસ્તી દિન” : ભરૂચના આમોદમાં આરોગ્ય કર્મચારીઓએ રેલી યોજી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો...

ભરૂચ જિલ્લાના આમોદ ખાતે આરોગ્ય કર્મચારીઓ દ્વારા વિશ્વ વસ્તી દિવસ નિમિત્તે વિશાળ રેલી યોજી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

New Update

આજરોજ ઠેર ઠેર વિશ્વ વસ્તી દિવસની ઉજવણી કરાય

ભરૂચ જિલ્લા પંચાયત આરોગ્ય શાખા દ્વારા આયોજન

આમોદ તાલુકા આરોગ્ય કચેરી દ્વારા કાર્યક્રમ યોજાયો

આરોગ્ય કર્મચારીઓ દ્વારા સૂત્રોચાર સાથે રેલી યોજાય

સૂત્રો પોકારી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો

ભરૂચ જિલ્લાના આમોદ ખાતે આરોગ્ય કર્મચારીઓ દ્વારા વિશ્વ વસ્તી દિવસ નિમિત્તે વિશાળ રેલી યોજી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

ભરૂચ જિલ્લા પંચાયત આરોગ્ય શાખા-ભરૂચના માર્ગદર્શન હેઠળ આમોદ તાલુકા આરોગ્ય કચેરી દ્વારા વિશ્વ વસ્તી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં આમોદ તાલુકા આરોગ્ય કચેરીથી મામલતદાર કચેરી સુધી આરોગ્ય કર્મચારીઓએ હાથમાં વિવિધ પ્લેકાર્ડ લખેલા સૂત્રોચાર સાથે વિશાળ રેલી યોજી હતી. જેમાં આમોદ તાલુકાના સમનીઆછોદ તેમજ માતર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તમામ આરોગ્ય કર્મચારીઓ હાજર રહ્યા હતા. આ સાથે જ આમોદ તાલુકા આરોગ્ય અધિકારી ડો. કંચનકુમાર સિંગ પણ રેલીમાં જોડાયા હતા. રેલી દરમિયાન આરોગ્ય કર્મચારીઓએ હાથમાં વિવિધ સૂત્રો લખેલા પ્લેકાર્ડ બતાવી લોકોને જાગૃત કર્યા  હતા. તેમજ'નાનું કુટુંબસુખી કુટુંબ', 'માઁ બનવાની એ જ ઉંમરજ્યારે શરીર અને મન હોય તૈયારજેવા સૂત્રો પોકારી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો હતો. વિશ્વ વસ્તી દિવસ નિમિત્તે આમોદ તાલુકા આરોગ્ય અધિકારી કંચનકુમાર સિંગ દ્વારા વસ્તી નિયંત્રણ કરવા લોકોને અપીલ કરવામાં આવી હતી.