ભરૂચ: જંબુસરના કંબોઇ સ્થિત સ્તંભેશ્વર મહાદેવ ખાતે મહાશિવરાત્રીની ભવ્ય ઉજવણી કરાશે,મહારુદ્ર યજ્ઞનો પ્રારંભ

કંબોઇ ખાતે આવેલ સ્તંભેશ્વર તીર્થક્ષેત્ર ખાતે મહાશિવરાત્રિના પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવશે જેની તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે

New Update
ભરૂચ: જંબુસરના કંબોઇ સ્થિત સ્તંભેશ્વર મહાદેવ ખાતે મહાશિવરાત્રીની ભવ્ય ઉજવણી કરાશે,મહારુદ્ર યજ્ઞનો પ્રારંભ

જંબુસરના કંબોઇ ખાતે આવેલ સ્તંભેશ્વર તીર્થક્ષેત્ર ખાતે મહાશિવરાત્રિના પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવશે જેની તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે

જંબુસર તાલુકામાં આવેલા કાવી કંબોઇ સ્તંભેશ્વર મહાદેવના નામથી ઓળખાતા અને દક્ષિણ ગુજરાતનું મીની સોમનાથ તરીકે ખ્યાતી પામેલ સ્તંભેશ્વર મહાદેવ જે અરબી સમુદ્રના કિનારે આવેલ છે જ્યાં કોરોના મહામારીના બે વર્ષ બાદ મહાશિવરાત્રિની ભવ્યાતિભવ્ય ઉજવણી થનાર છે.

કંબોઇ સ્તંભેશ્વર મહાદેવ મંદિરે આવર્ષે મહા શિવરાત્રીની ભવ્ય ઉજવણી થનાર છે જેમાં અનેક ધાર્મિક કાર્યક્રમોનું આયોજન હાથ ધરાયું છે ૨૨ ફેબ્રુઆરીથી એક માર્ચ સુધી મહારુદ્ર યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં રોજના સો જોડાઓ ભાગ લઈ રહ્યા છે. મહાશિવરાત્રિના દિને ગુપ્ત તીર્થ સ્થાને રાજ્યભરમાંથી અનેક શ્રધ્ધાળુઓ દર્શન પૂજન માટે ઉમટી પડશે પૂનમ અને અમાસના દિવસે શ્રધ્ધાપૂર્વક સ્તંભેશ્વર દાદાના પૂજન અર્ચન કરવાથી પિતૃ તૃપ્ત થઈ આશિષ આપે છે તેવી ધાર્મિક વાયકા છે પ્રયાગમાં સાત વખત પુષ્કરમાં નવ વખત અને પ્રભાસમાં અગિયાર વખત સ્નાન કરવાથી જે પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે તે અહીં એક વખત સ્નાન કરવાથી પ્રાપ્ત થાય છે તેમ સ્કંદપુરાણમા લખવામાં આવ્યું છે.

Read the Next Article

અંકલેશ્વર : મહારાષ્ટ્રમાં થયેલ કેબલ ચોરીના મામલામાં 4 આરોપીની નોબેલ માર્કેટમાંથી ધરપકડ,ક્રાઇમ બ્રાન્ચે રૂ.5.30 લાખનો મુદ્દામાલ કર્યો જપ્ત

ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન બાતમી મળી હતી કે  મહારાષ્ટ્રમાં આવેલ ખોપોલી પો.સ્ટે. વિસ્તારમાં કેબલ ચોરી થઇ હતી

New Update
gujarat
ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન બાતમી મળી હતી કે  મહારાષ્ટ્રમાં આવેલ ખોપોલી પો.સ્ટે. વિસ્તારમાં કેબલ ચોરી થઇ હતી જેમાં જુબેર તથા આલમ મનીયાર તથા દિપક કપિલદેવ તિવારી તથા રામવિલાસ ચીકનું યાદવ સંડોવાયેલ છે જે પૈકી આલમ તથા દિપક તિવારી તથા રામ વિલાસ યાદવ અંક્લેશ્વર ખાતે આવેલ નોબલ માર્કેટમાં ગુનામા વપરાયેલ સાધનો સાથે ગોવિંદ અવધરામ યાદવને ત્યા ગોડાઉન પર રોકાયા છે જે બાતમીના આધારે નોબેલ માર્કેટમાં ગોવિંદ યાદવના ગોડાઉનના પર જઇ તપાસ કરતા ગોડાઉન પર ચાર ઇસમ એમ.એચ. પાસીંગની એક બાઇક તથા બોલેરો પીક અપ સાથે ઝડપાય ગયા હતા.આરોપીઓ પોલીસથી બચવા અંકલેશ્વર આવ્યા હોવાનું બહાર આવ્યું હતું.પોલીસે આરોપીઓ પાસેથી કુલ રૂ.5.30 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
ઝડપાયેલ આરોપીઓ
(1)મોહંમદ આલમ મોહંમદ યુસુફ મનીયાર ઉ.વ.૩૪ હાલ રહે, પુનોલે ગાયકવાડનગર પુના જી.પુના (મહારાષ્ટ્ર) મુળ રહે, દલમઉ થાના-દલમઉ તા.જી. રાયબરેલી (ઉત્તરપ્રદેશ)
(૨) દિપક કપિલદેવ તિવારી ઉ.વ.રર હાલ રહે, ચીખલી કુંતલવાડી રામવિલાસની ભંગારની દુકાન પર તા. નહેરૂનગર જી.પુના (મહારાષ્ટ્ર) મુળ રહે. મનકાપુર તા. તુલસીપુર દેવીપાટણ જી. બલરામપુર (ઉત્તરપ્રદેશ)
(૩) રામવિલાસ ચીકનું યાદવ ઉ.વ. ૩૨ રહે, પુનોલે ગાયકવાડનગર જી-પુના (મહારાષ્ટ્ર) મુળ રહે. ત્રિલોકપુર તા-ઇટવા જી- સિધ્ધાર્થનગર (ઉત્તરપ્રદેશ)
(૪) ગોવિંદ અવધરામ યાદવ ઉ.વ.૪૮ હાલ રહે, પ્લોટ નં.૭૧ ન્યુ ઈન્ડીયા નોબલ માર્કેટ ભડકોદ્રા તા. અંકલેશ્વર જી.ભરૂચ મુળ રહે. રામાપુર ઉર્ફે બિસુનપુર તા. ઈટવા જી. સિધાર્થનગર (ઉત્તરપ્રદેશ)