ભરૂચ:સમાન્ય નાગરિકોને વ્યાજબી દરે લોન મળે તે માટે પોલીસ વિભાગ દ્વારા લોન મેળાનું કરાયું આયોજન

સામાન્ય નાગરિકોને વ્યાજબી દરે લોન મળી રહે એ હેતુથી ભરૂચ પોલીસ દ્વારા પંડિત ઓમકારનાથ ઠાકુર કલાભવન ખાતે લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.

New Update
ભરૂચ:સમાન્ય નાગરિકોને વ્યાજબી દરે લોન મળે તે માટે પોલીસ વિભાગ દ્વારા લોન મેળાનું કરાયું આયોજન

સામાન્ય નાગરિકોને વ્યાજબી દરે લોન મળી રહે એ હેતુથી ભરૂચ પોલીસ દ્વારા પંડિત ઓમકારનાથ ઠાકુર કલાભવન ખાતે લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.

ગુજરાત રાજ્યના ગૃહ વિભાગના આદેશો બાદ ઊંચા વ્યાજ દરે નાણાંનું ધિરાણ કરતા વ્યાજખોરો સામે પોલીસ વિભાગે સપાટો બોલાવ્યા હતો જે બાદ વ્યાજખોરોની ચૂંગાલમાં ફસાયેલ લોકોની આપવીતી અને મજબૂરી સામે આવી હતી જેમાં ઊંચું વ્યાજ ભરીને પણ લોકો વ્યાજના આ ચક્રવ્યુમાં ફસાયેલાં જ નજરે પડ્યા હતા તેવામાં હવે આ પ્રકારના સામાન્ય નાગરિકોની વહારે પોલીસ વિભાગ સામે આવ્યું છે.ભરૂચના ઓમકારનાથ ઠાકુર હોલ ખાતે આજરોજ ભરૂચ જિલ્લા પોલીસ વડા ડો.લીના પાટીલ સહિત નગર પાલિકા પ્રમુખ અમિત ચાવડાની ઉપસ્થિતમાં સામાન્ય નાગરિકો માટે વ્યાજબી દરે લોન મળી રહે માટે લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. વિવિધ બેંકના સ્ટાફની ઉપસ્થિતિમાં લોનની જરૂરિયાત ધરાવતા લોકોને સ્થળ પરજ જરૂરી ડોક્યુમેન્ટ લઈ રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ અંગે માહિતગાર કરી તેઓને સહુલત મુજબની લોનનું ધિરાણ કરવાની શરૂઆત કરી હતી.ભરૂચ જિલ્લા પોલીસ વિભાગ દ્વારા યોજાયેલ વ્યાજબી દરની લોન મેળામાં મોટી સંખ્યામાં સામાન્ય નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા તેમજ સરકારી લાભ સહિત બેન્કિંગ લોન યોજનાઓ અંગે માહિતી મેળવી હતી.

Read the Next Article

ભરૂચ: નર્મદા પરિક્રમાવાસીઓ માટે CM ભુપેન્દ્ર પટેલનો મહત્વનો નિર્ણય, હાંસોટના વમલેશ્વરમાં 100091 ચો.મી.જમીન ફાળવાય

ભરૂચના હાંસોટના વમલેશ્વર ખાતે નર્મદા પરિક્રમા પથના યાત્રાધામોના વિકાસ માટે મુખ્યમંત્રીએ મહત્વપૂર્ણ નિર્ણય લઈ 10091 ચો. મીટર જમીનની ફાળવણી કરી છે.

New Update
bhupendra

ભરૂચના હાંસોટના વમલેશ્વર ખાતે નર્મદા પરિક્રમા પથના યાત્રાધામોના વિકાસ માટે મુખ્યમંત્રીએ મહત્વપૂર્ણ નિર્ણય લઈ 10091 ચો. મીટર જમીનની ફાળવણી કરી છે.

નર્મદા પરિક્રમા માર્ગ પર આવેલા યાત્રાધામો અને પરિક્રમાપથ ખાતે યાત્રાધામોના વિકાસની કામગીરી અર્થે પ્રવાસન ખાતા (ઉદ્યોગ અને ખાણ) વિભાગને વહીવટી હુકમ- 3 હેઠળ જમીન તબદીલ કરી આપવામાં આવી છે.ગુજરાત રાજ્યમાં નર્મદા પરિક્રમા આગવી ઓળખ સાથે ધાર્મિક મહત્વ ધરાવે છે. વમલેશ્વર યાત્રાધામ સહિત નર્મદા પરિક્રમા માર્ગ પર આવેલા અને પરિક્રમાપથના યાત્રાધામોના વિકાસથી ગુજરાત અને મઘ્યપ્રદેશ રાજ્યના હજારો પરિક્રમાવાસીઓ અને શ્રદ્ધાળુને પડતી વિવિધ મુશ્કેલીઓ હવે ભૂતકાળ બનશે.રાજ્ય સરકારના આ સંવેદનશીલ નિર્ણયથી ખરા અર્થમાં ભરૂચ જિલ્લામાં પ્રવાસન વિભાગને પ્રોત્સાહન મળશે તેમજ સ્થાનિકોને પણ તેનો લાભ થનાર છે. નર્મદા પરિક્રમા માર્ગ પર આવેલા યાત્રાધામો અને પરિક્રમાપથ ખાતે યાત્રાધામોના વિકાસની કામગીરી અર્થે મહત્વનો નિર્ણય લઇ જમીન ફાળવવાની મુખ્યમંત્રીએ મંજૂરી આપી છે. પ્રવાસન ખાતા દ્વારા વમલેશ્વર ખાતે સર્વે નંબર 553 ની 10091 ચોરસ મીટર જમીન ફાળવવા અંગે સરકારમાં માંગણી કરવામાં આવી હતી. જેને અનુલક્ષી મુખ્યમંત્રીએ આ નિર્ણય કર્યો છે.
ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકામાં આવેલું વમલેશ્વર ધાર્મિક સ્થળોમાં ખૂબ વિખ્યાત યાત્રાધામ છે. આ યાત્રાધામ સાથે નર્મદા પરિક્રમા ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. વહીવટી મંજૂર હુકમ 3 હેઠળ તબદીલ કરતા મુખ્યમંત્રીનો આ નિર્ણય મહત્વપૂર્ણ બની રહેશે.