Connect Gujarat
ભરૂચ

ભરૂચ:સમાન્ય નાગરિકોને વ્યાજબી દરે લોન મળે તે માટે પોલીસ વિભાગ દ્વારા લોન મેળાનું કરાયું આયોજન

સામાન્ય નાગરિકોને વ્યાજબી દરે લોન મળી રહે એ હેતુથી ભરૂચ પોલીસ દ્વારા પંડિત ઓમકારનાથ ઠાકુર કલાભવન ખાતે લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.

ભરૂચ:સમાન્ય નાગરિકોને વ્યાજબી દરે લોન મળે તે માટે પોલીસ વિભાગ દ્વારા લોન મેળાનું કરાયું આયોજન
X

સામાન્ય નાગરિકોને વ્યાજબી દરે લોન મળી રહે એ હેતુથી ભરૂચ પોલીસ દ્વારા પંડિત ઓમકારનાથ ઠાકુર કલાભવન ખાતે લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.

ગુજરાત રાજ્યના ગૃહ વિભાગના આદેશો બાદ ઊંચા વ્યાજ દરે નાણાંનું ધિરાણ કરતા વ્યાજખોરો સામે પોલીસ વિભાગે સપાટો બોલાવ્યા હતો જે બાદ વ્યાજખોરોની ચૂંગાલમાં ફસાયેલ લોકોની આપવીતી અને મજબૂરી સામે આવી હતી જેમાં ઊંચું વ્યાજ ભરીને પણ લોકો વ્યાજના આ ચક્રવ્યુમાં ફસાયેલાં જ નજરે પડ્યા હતા તેવામાં હવે આ પ્રકારના સામાન્ય નાગરિકોની વહારે પોલીસ વિભાગ સામે આવ્યું છે.ભરૂચના ઓમકારનાથ ઠાકુર હોલ ખાતે આજરોજ ભરૂચ જિલ્લા પોલીસ વડા ડો.લીના પાટીલ સહિત નગર પાલિકા પ્રમુખ અમિત ચાવડાની ઉપસ્થિતમાં સામાન્ય નાગરિકો માટે વ્યાજબી દરે લોન મળી રહે માટે લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. વિવિધ બેંકના સ્ટાફની ઉપસ્થિતિમાં લોનની જરૂરિયાત ધરાવતા લોકોને સ્થળ પરજ જરૂરી ડોક્યુમેન્ટ લઈ રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ અંગે માહિતગાર કરી તેઓને સહુલત મુજબની લોનનું ધિરાણ કરવાની શરૂઆત કરી હતી.ભરૂચ જિલ્લા પોલીસ વિભાગ દ્વારા યોજાયેલ વ્યાજબી દરની લોન મેળામાં મોટી સંખ્યામાં સામાન્ય નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા તેમજ સરકારી લાભ સહિત બેન્કિંગ લોન યોજનાઓ અંગે માહિતી મેળવી હતી.

Next Story