ભરૂચ: ઝાડેશ્વર નજીક ખાનગી બસ વીજ પોલ સાથે ભટકાય, મોટી દુર્ઘટના ટળી
ઝાડેશ્વર ગામના નારાયણ ભુવન સ્ટ્રીટ અને અમીન સ્ટ્રીટ વચ્ચે ખાનગી કંપનીની લકઝરી બસ વીજ પોલ સાથે ભટકાતા નાસભાગ મચી જવા પામી હતી
BY Connect Gujarat Desk13 Oct 2022 9:04 AM GMT
X
Connect Gujarat Desk13 Oct 2022 9:04 AM GMT
ભરૂચના ઝાડેશ્વર ગામના નારાયણ ભુવન સ્ટ્રીટ અને અમીન સ્ટ્રીટ વચ્ચે ખાનગી કંપનીની લકઝરી બસ વીજ પોલ સાથે ભટકાતા નાસભાગ મચી જવા પામી હતી
આજરોજ વહેલી સવારે ભરૂચના ઝાડેશ્વર ગામમાં ખાનગી કંપનીનો લકઝરી બસનો ચાલક કર્મચારીઓને લેવા માટે આવ્યો હતો તે દરમિયાન બસનો ચાલક નારાયણ ભુવન સ્ટ્રીટ અને અમીન સ્ટ્રીટ વચ્ચેથી પસાર થઈ રહ્યો હતો તે વેળા બસ વીજ પોલ સાથે ભટકાતા અકસ્માત સર્જાયો હતો બસ ભટકાતા વીજ પોલ ધડાકા ભેર જમીન ઉપર તૂટી પડ્યો હતો જેને પગલે માર્ગ બંધ થઈ ગયો હતો આ ઘટનામાં કોઈને પણ જાનહાની નહીં થતા સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો ઘટના વહેલી સવારે બની હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી જો કે અકસ્માતની પગલે વીજ પોલને નુકશાન થયું હતું બનાવ અંગે સ્થાનિકોએ વીજ કંપની અને પોલીસને જાણ કરી હતી જેને પગલે વીજ કંપનીના અધિકારીઓ તેમજ પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો.
Next Story