ભરૂચ : પ્રાથમિક શિક્ષણના સ્તરમાં સુધારો કરવા હેતુ જંબુસરમાં આંગણવાડી બહેનો માટે તાલીમ શિબિર યોજાય...

સંકલિત બાળ વિકાસ યોજના અંતર્ગત ભરૂચ જિલ્લાના જંબુસર સ્થિત BRC ભવન ખાતે આંગણવાડી કાર્યકર બહેનો માટે તાલીમ શિબિર યોજાય હતી.

New Update
ભરૂચ : પ્રાથમિક શિક્ષણના સ્તરમાં સુધારો કરવા હેતુ જંબુસરમાં આંગણવાડી બહેનો માટે તાલીમ શિબિર યોજાય...

સંકલિત બાળ વિકાસ યોજના અંતર્ગત ભરૂચ જિલ્લાના જંબુસર સ્થિત BRC ભવન ખાતે આંગણવાડી કાર્યકર બહેનો માટે તાલીમ શિબિર યોજાય હતી.

ગુજરાત સરકાર શિક્ષણમાં સુધારો અને વધારો થાય તે માટે સતત પ્રયત્નશીલ રહે છે, અને નાના બાળકોના પ્રાથમિક શિક્ષણના સ્તરમાં સુધારો લાવવા શાળા પૂર્વનું શિક્ષણ જેમાં સુધારો થશે. બાળકોને મૌખિક ભણાવા કરતા ચિત્ર, પઝલ દ્વારા અભ્યાસ કરાવવામાં આવે તો બાળકોના જ્ઞાનમાં વધારો અને સુધારો થાય છે. તે માટે આંગણવાડી બહેનોને ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. જે અંતર્ગત ભરૂચ જિલ્લાના જંબુસર ICDS દ્વારા જંબુસર શહેર અને તાલુકાની આંગણવાડી કાર્યકર બહેનો માટે ખાસ TLM તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ટ્રેનર MS અલ્પા વણકર, PSE અંકિત પરમાર દ્વારા 5 દિવસ અલગ અલગ સેજાની કાર્યકર બહેનોને સુંદર તાલીમ આપવામાં આવી હતી. સદર ટ્રેનિંગમાં ICDS સ્ટાફ અલ્પા રાજ, અમીલા વસાવા અને કિન્નરી સોલંકી સહિતના આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા.

Read the Next Article

ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા ભવ્ય તિરંગા યાત્રા યોજાય, દેશપ્રેમના રંગ જોવા મળ્યા

ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા માતરીયા તળાવથી સ્ટેચ્યુ પાર્ક સુધી ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે ભરૂચમાં જિલ્લા

New Update

ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન

ભાજપ દ્વારા આયોજન કરાયું

તિરંગા યાત્રાનું આયોજન

આગેવાનો અને કાર્યકરો જોડાયા

દેશભક્તિના રંગ જોવા મળ્યા

ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા માતરીયા તળાવથી સ્ટેચ્યુ પાર્ક સુધી ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. 

સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે ભરૂચમાં જિલ્લા ભાજપ દ્વારા ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, મહામંત્રી નિરલ પટેલ, શહેર પ્રમુખ જતીન શાહ સહિત પક્ષના અગ્રણીઓ, હોદ્દેદારો અને મોટી સંખ્યામાં યુવાનો જોડાયા હતા. હાથમાં તિરંગો લહેરાવતા કાર્યકરો દેશભક્તિના સૂત્રોચ્ચાર કરતા આગળ વધતા નજરે પડ્યા હતા.ભાજપ દ્વારા હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત યોજાયેલી આ યાત્રા દરમિયાન શહેરના મુખ્ય માર્ગો પર દેશપ્રેમનો જુસ્સો છલકાતો જોવા મળ્યો હતો. યાત્રામાં દેશભક્તિ ગીતો, સૂત્રોચ્ચારો અને તિરંગાની લહેરાટ સાથે ઉત્સાહનો માહોલ છવાયો હતો.