ભરૂચ : ફાટા તળાવ વિસ્તારની ખુલ્લી ગટરમાં રેતી ભરેલી ટ્રક ખાબકી, પાલિકાની કામગીરી સામે સ્થાનિકોમાં આક્રોશ

ભરૂચ શહેરના ફાટા તળાવ વિસ્તારમાં આવેલી ખુલ્લી ગટરમાં રેતી ભરેલી ટ્રક ખાબકી હતી. ઘટનાની જાણ થતાં સ્થાનિકો દોડી આવ્યા હતા.

New Update
ભરૂચ : ફાટા તળાવ વિસ્તારની ખુલ્લી ગટરમાં રેતી ભરેલી ટ્રક ખાબકી, પાલિકાની કામગીરી સામે સ્થાનિકોમાં આક્રોશ

ભરૂચ શહેરના ફાટા તળાવ વિસ્તારમાં આવેલી ખુલ્લી ગટરમાં રેતી ભરેલી ટ્રક ખાબકી હતી. ઘટનાની જાણ થતાં સ્થાનિકો દોડી આવ્યા હતા. જોકે અવારનવાર ખુલ્લી ગટરોમાં વાહનો ખાબકતા પાલિકાની કામગીરી સામે આક્રોશ જોવા મળી રહ્યો છે.

ભરૂચ પાલિકા વિસ્તારોમાં આવેલી ખુલ્લી ગટરોમાં અનેક વખતે વાહનો ખાબકતા હોવાની ઘટનાઓ સામે આવતી રહે છે. થોડા દિવસ પહેલા શહેરના હાર્ડસમા પાંચબત્તી ખાતે 2 કાર પણ ખુલ્લી ગટરમાં ખાબકી હતી, જ્યારે આજરોજ સવારના સમયે ફાટા તળાવ વિસ્તારમાંથી રેતી ભરીને એક ટ્રક ચાલક પસાર થઈ રહ્યો હતો, ત્યારે અચાનક ટ્રક ખૂલ્લી ગટરમાં ખાબકતાં ટ્રક ગટરમાં ફસાઈ ગઈ હતી. જેના કારણે રેતી માર્ગ પર પડી હતી. ટ્રક ગટરમાં પડતા જ આસપાસના સ્થાનિકો દોડી આવ્યા હતા. જોકે, ફાટા તળાવ વિસ્તારમાં કેટલા સમયથી રોડ અને રસ્તાનું અધૂરું કામ હોવાના કારણે વારંવાર ખુલ્લી ગટરમાં વાહનો પડતા લોકોમાં પાલિકા પ્રત્યે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.

Read the Next Article

અંકલેશ્વર: ખરોડ ગામે યુવાનની હત્યા કરનાર આરોપીની ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ, અગાઉ થયેલ માથાકૂટની રીસ રાખી હત્યા કરાય

અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામેથી મળી આવેલ મૃતદેહના મામલામાં ચોકાવનારો ખુલાસો થયો છે પોલીસે યુવાનની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

New Update

અંકલેશ્વરના ખરોડમાં મળી આવ્યો હતો મૃતદેહ

હત્યા થઈ હોવાનું આવ્યું બહાર

પોલીસે હત્યારાની કરી ધરપડક

અગાઉના ઝઘડાની રીસ રાખી કરાય હત્યા

પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી


અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામેથી મળી આવેલ મૃતદેહના મામલામાં ચોકાવનારો ખુલાસો થયો છે પોલીસે યુવાનની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અંકલેશ્વરના ખરોડ ગામની સીમમાં આવેલ બાકરોલ વગામાં ખેતરના શેઢા ઉપર અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ વિકૃત હાલતમાં મળી આવ્યો હતો.આ બાબતે પાનોલી પોલીસે ગુનો નોંધી મૃત્યુનું કારણ જાણવા તપાસ શરૂ કરી હતી.આ તરફ ક્રાઇમ બ્રાન્ચ પણ તપાસમાં જોડાય હતી દરમ્યામ પોલીસને બાતમી મળી હતી કે આ ગુનામાં  અક્કલકુવાનો શંકર મોવરીયા વસાવા નામનો ઈસમ સંડોવાયો છે જે અંકલેશ્વર તથા પાનોલી વિસ્તારમા છુટક મજુરી કરે છે.પોલીસે હ્યુમન ઇન્ટેલીજન્સના આધારે આરોપીની ખરોડ નજીકથી ધરપકડ કરી હતી. પોલીસની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો. આ મામલામાં મરણ જનાર ઇસમે થોડા દિવસ અગાઉ મારમારી 1500 રૂપિયા લૂંટી લીધા હતા જેની રીસ રાખી આરોપી શંકર વસાવાએ મૃતકને શોધી તેને મજૂરી કામ અપાવવાના બહાને ખરોડ ગામની સીમમાં લઈ ગયો હતો અને ત્યાં પથ્થરના ઘા મારી હત્યા કર્યા બાદ તેના વતન ફરાર થઇ ગયો હતો.પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.