ભરૂચ : મતદારોને વધુ જાગૃત કરવા તંત્રનો અનોખો પ્રયાસ, EVM નિદર્શન વાનનું કલેક્ટરના હસ્તે પ્રસ્થાન...

લોકસભા-2024ની ચૂંટણીને અનુલક્ષીને મતદારો વધુ જાગૃત બને તે હેતુથી ભરૂચ જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાએ EVM નિદર્શન વાનને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.

New Update
ભરૂચ : મતદારોને વધુ જાગૃત કરવા તંત્રનો અનોખો પ્રયાસ, EVM નિદર્શન વાનનું કલેક્ટરના હસ્તે પ્રસ્થાન...

લોકશાહીના પાવન પર્વમાં ભરૂચ જિલ્લાના મતદારો મતદાન કરી પોતાની પવિત્ર ફરજ બજાવવા જાગૃત બને તે માટે ભરૂચ કલેક્ટર કચેરી ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર તુષાર સુમેરાએ EVM નિદર્શન વાનને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.

Advertisment W3.CSS

લોકસભા-2024ની ચૂંટણીને અનુલક્ષીને મતદારો વધુ જાગૃત બને તે હેતુથી ભરૂચ જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાએ EVM નિદર્શન વાનને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. કલેક્ટર તુષાર સુમેરાએ જણાવ્યું હતું કે, આગામી લોકસભાની ચૂંટણીમાં જિલ્લાના મતદારો રાષ્ટ્રીય કક્ષાએ નોંધપાત્ર મતદાન કરે તે માટે નિદર્શન વાનમાં EVM ડેમોસ્ટ્રેશન થકી મતદાન જાગૃતિ માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા અનેરો પ્રયાસ કરવામાં આવ્યો છે. વધુમાં તેમણે ઉમેરતા કહ્યું કે, નિદર્શન વાન સમગ્ર જિલ્લામાં EVM મશીનમાં મતદાન અને નિદર્શન કરીને મતદાન માટે લોકજાગૃતિનું કાર્ય કરશે. અત્રે ઉલ્લેખનિય છે કે, LED મોબાઇલ વાનની LED સ્ક્રીન પર EVM-VVPAT વિશે સંક્ષિપ્તમાં માહિતી દર્શાવતો વીડીયો પણ રજૂ કરવામાં આવશે. આ સાથે જ ટ્રેનિંગ અને અવેરનેસ માટે ફાળવવામાં આવેલ EVM નિદર્શન વાન થકી મતદારો મતદાનની પદ્ધતિથી માહિતગાર થશે. વધુમાં વાન સાથે EVM ફોટો સ્ટેન્ડ રહેશે, જેની સાથે મતદારો ફોટો/સેલ્ફી પડાવી શકશે. આ પ્રસંગે, ભરૂચ જિલ્લા કલેક્ટર તુષાર સુમેરા, ભરૂચ જિલ્લા પુરવઠા અધિકારી નૈતિકા પટેલ, નાયબ કલેક્ટર સ્ટેમ્પ ડ્યુટી અમિત પરમાર, ભરૂચ મામલતદાર સહિત જિલ્લા ચૂંટણી શાખાના અધિકારી તથા કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Read the Next Article

અંકલેશ્વર:હાંસોટ પોલીસ મથક ખાતે શાંતિ સમિતિની યોજાય બેઠક, હિન્દૂ મુસ્લિમ બિરાદરો રહ્યા ઉપસ્થિત

મુસ્લિમ સમુદાયનો બકરી ઈદના તહેવાર શાંતિપૂર્ણ માહોલ અને કોમી એખલાસ ભર્યા વાતાવરણમાં સમ્પન થાય તે અર્થે હાંસોટ પોલીસ  મથકમાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી

New Update
aaa

તાલુકા મથક હાંસોટ અને ગ્રામ્ય વિસ્તારોમાં આગામી દિવસોમાં આવતા મુસ્લિમ સમુદાયનો બકરી ઈદના તહેવાર શાંતિપૂર્ણ માહોલ અને કોમી એખલાસ ભર્યા વાતાવરણમાં સમ્પન થાય તે અર્થે હાંસોટ પોલીસ  મથકમાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી

Advertisment W3.CSS
આગામી સમયમાં એટલે કે 7 મી જૂનના રોજ મુસ્લિમ સમાજનો બકરી ઇદનો તહેવાર આવે છે. ત્યારે હાંસોટ દરેક તહેવાર શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થયા તે અર્થે હાંસોટ પોલીસ મથકમાં પી.આઈ.વી.એ.લાકોડની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક રાખવામાં આવી હતી.દરેક ધર્મના તહેવારો શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાય અને જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ તે હેતુસર બંને કોમના લોકોને અપીલ કરી શાંતિપુર્ણ માહોલમાં તહેવારની ઉજવણી કરવા જણાવ્યું હતું.આ બેઠકમાં હિન્દૂ- મુસ્લિમ સમાજના શાંતિ સમિતિના સભ્યો હાજર રહ્યા હતા.
Latest Stories