ભરૂચ : વીજ નિગમના સ્માર્ટ મીટર સામે આમ આદમી પાર્ટીનો વિરોધ, મુખ્યમંત્રીને સંબોધીને આપ્યું તંત્રને આવેદન

ગુજરાતભરમાં છેલ્લા કેટલાય દિવસોથી સ્માર્ટ વિજ મીટરનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. આ મામલે અલગ અલગ જગ્યાએ વિજ કચેરીઓ પર લોકોનો હલ્લાબોલ સામે આવી રહ્યો છે.

New Update
ભરૂચ : વીજ નિગમના સ્માર્ટ મીટર સામે આમ આદમી પાર્ટીનો વિરોધ, મુખ્યમંત્રીને સંબોધીને આપ્યું તંત્રને આવેદન

સમગ્ર રાજ્યમાં હાલ વીજ નિગમના સ્માર્ટ મીટરને લઈને વિરોધનો વંટોળ વધી રહ્યો છે, ત્યારે ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા કલેકટર કચેરી ખાતે આવેદન પત્ર પાઠવી સ્માર્ટ મીટરનો વિરોધ નોંધાવ્યો હતો.

ગુજરાતભરમાં છેલ્લા કેટલાય દિવસોથી સ્માર્ટ વિજ મીટરનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. આ મામલે અલગ અલગ જગ્યાએ વિજ કચેરીઓ પર લોકોનો હલ્લાબોલ સામે આવી રહ્યો છે. ક્યારે ન જોયું હોય તેટલું મસમોટું વિજ બીલ આવી રહ્યું છે, ત્યારે હવે આ મામલે આમ આદમી પાર્ટી દ્વારા આંદોલનની જાહેરાત કરવામાં આવી છે. જેના ભાગરૂપે ભરૂચ આમ આદમી પાર્ટી જિલ્લા પ્રમુખ પિયુષ પટેલ, આકાશ મોદી સહિત આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા ભરૂચ જિલ્લા સમાહર્તાને મુખ્યમંત્રીને સંબોધતું આવેદન પત્ર પાઠવામાં આવ્યું હતું. આમ આદમી પાર્ટીએ વર્તમાન સરકાર પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, હાલ વિજ કંપની સામે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. તેમના દ્વારા સ્માર્ટ વિજ મીટરની કામગીરી કરવામાં આવી રહી છે. અને તેમના દ્વારા ગરીબ તેમજ મધ્યમ વર્ગીય પ્રજાને લૂંટવામાં આવી રહી છે. સત્તાપક્ષ દ્વારા લોકો પર બોઝો નાંખવામાં આવ્યો છે. સ્માર્ટ મીટર જબરદસ્તીથી મુકવામાં આવી રહ્યા છે. જેથી આ તઘલખી નિર્ણય છે. સ્માર્ટ મીટરના નામે થતી દાદાગીરીનો આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતના મુખ્યમંત્રીને સંબોધી ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર આપી સરકારની બેધારી નીતિનો વિરોધ નોંધાવ્યો હતો.