ભરૂચ:આમ આદમી પાર્ટી દ્વારા યુવરાજસિંહના સમર્થનમાં આવેદન પત્ર પાઠવાયુ

યુવરાજસિંહની ધરપકડના હવે રાજકીય રીતે ઘેરા પ્રત્યાઘાતો પડી રહ્યા છે. એક તરફ રાજ્યના અનેક વિદ્યાર્થીઓ ટ્વિટર પર યુવરાજસિંહના સમર્થનમાં આવી રહ્યા છે

New Update
ભરૂચ:આમ આદમી પાર્ટી દ્વારા યુવરાજસિંહના સમર્થનમાં આવેદન પત્ર પાઠવાયુ

વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ પરનો કેસ તાત્કાલિક પાછો ખેંચવો અને સમગ્ર કાંડની નિવૃત્ત સુપ્રીમ ન્યાયાધીશની અધ્યક્ષતામાં તપાસની માંગ સાથે ભરૂચ આમ આદમી પાર્ટી દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતુ

યુવરાજસિંહની ધરપકડના હવે રાજકીય રીતે ઘેરા પ્રત્યાઘાતો પડી રહ્યા છે. એક તરફ રાજ્યના અનેક વિદ્યાર્થીઓ ટ્વિટર પર યુવરાજસિંહના સમર્થનમાં આવી રહ્યા છે તો બીજી તરફ આમ આદમી પાર્ટી પણ યુવરાજસિંહના સમર્થનમાં આવી છે. યુવરાજસિંહ ધરપકડના વિરોધમાં આમ આદમી પાર્ટી હવે મેદાનમાં આવી છે.સોમવારે રાજ્યભરમાં AAP દ્વારા આવેદનપત્ર પાઠવામાં આવ્યા હતા જેના ભાગરૂપે ભરૂચ આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ પિયુષ પટેલની અધ્યક્ષતામાં આમ આદમી પાર્ટીના તારીખ સૈયદ, ભાવેશ નાયક ,ગોપાલ રાણા સહિતના કાર્યકરો દ્વારા ભરૂચ જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી જણાવાયું હતું કે યુવરાજસિંહની ધડપકડ મામલે સમગ્ર પ્રકરણની તપાસ માટે નિવૃત ન્યાયાધીશની આગેવાનીમાં ખાસ તપાસ ટીમની રચના કરી તમામ સમગ્ર મામલે ન્યાયિક તપાસની માંગ કરવામાં આવી છે.

Read the Next Article

ભરૂચ: ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ONE NATION, ONE ELECTION અંગે જનજાગૃતિ કાર્યક્રમ યોજાશે

ભરૂચ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા તારીખ 21મી જૂનના રોજ “ONE NATION, ONE ELECTION” વિષયક જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

New Update
  • ભરૂચમાં યોજાશે જનજાગૃતિ કાર્યક્રમ

  • ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આયોજન

  • એક રાષ્ટ્ર એક ચૂંટણી અંગે કરાશે ચર્ચા

  • આત્મીય હોલ ખાતે આયોજન

  • સમાજવિદ ડો.અનિલ પટેલ આપશે હાજરી

ભરૂચ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા તારીખ 21મી જૂનના રોજ “ONE NATION, ONE ELECTION” વિષયક જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
ભરૂચ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા “One Nation, One Election” જેવી મહત્વપૂર્ણ સંકલ્પનાને જોતા શહેરીજનોમાં જાગૃતિ ફેલાવવા માટે વિશિષ્ટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
આ કાર્યક્રમ તા. ૨૧ જૂન ૨૦૨૫, શનિવારે સાંજે ૪:૩૦ કલાકે ભરૂચના કોલેજ રોડ સ્થિત આત્મીય હોલ ખાતે યોજાશે.કાર્યક્રમમાં પ્રખ્યાત સમાજવિદ ડૉ. અનિલ પટેલ "એક રાષ્ટ્ર, એક ચૂંટણી" વિષય પર  વિચારવિમર્શ રજૂ કરશે. દેશની ચૂંટણી પ્રણાલીને વધુ સશક્ત અને વ્યવસ્થિત બનાવવાની દિશામાં વિચારણા ચાલી રહી છે.આ કાર્યક્રમ અંગે પત્રકારોને માહિતગાર કરવા આજે હોટલ રિજન્ટા ખાતે પત્રકાર પરિષદ યોજાઈ હતી. પત્રકાર પરિષદની અધ્યક્ષતા ભરૂચ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ  કિરણ મજમુદાર દ્વારા કરવામાં આવી હતી. સાથે  અનિષ પરીખ સહિત સંસ્થાના વિવિધ હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા.