ભરૂચ: નિકોરા ગામ નજીકના ફાર્મ હાઉસમાં ભાજપના નેતાઓએ પક્ષની જ મહિલાઓ સાથે દુષ્કર્મ આચર્યું હોવાના "આપ"ના આક્ષેપ
BY Connect Gujarat28 July 2022 2:48 PM GMT
X
Connect Gujarat28 July 2022 2:48 PM GMT
ભરૂચ આમ આદમી પાર્ટી દ્વારા કલેક્ટરને પાઠવાયું આવેદનપત્ર
ભાજપના નેતાઓએ પક્ષની જ મહિલાઓ સાથે દુષ્કર્મ આચર્યું હોવાના આક્ષેપ
નનામા પત્રમાં સત્તાધારી પક્ષના કેટલાય નેતાઓના નામનો ઉલ્લેખ: આપ
ભરૂચ જિલ્લામાં પૂર્વ પટ્ટીના નિકોરા ગામના એક ફાર્મ હાઉસમાં સત્તાધારી પક્ષના નેતાઓએ પક્ષની જ મહિલાઓને સદસ્યતા અભિયાન અને સંગઠનની મિટિંગના બહાને લઈ જઈ કાંડ રચ્યો હોવાનો પત્ર સોશિયલ મીડિયા ઉપર ચર્ચાનું કેન્દ્ર બનતા સમગ્ર પ્રકરણમાં ઝીણવટ ભરી તપાસ થાય અને આવું કૃત્ય આચરનારા નેતાઓની શાન ઠેકાણે પાડવાના આક્ષેપ સાથે આમ આદમી પાર્ટીએ ભરૂચ કલેકટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી.નિકોરા ફાર્મ હાઉસમાં જો સત્તાધારી પક્ષે કાંડ કર્યું હોય તો પોલીસ જીણવટ ભરી તપાસ કરી કાર્યવાહી કરે તેવી માંગણી સાથે કલેકટરને એક આવેદનપત્ર સુપ્રત કર્યું હતું
Next Story