ભરૂચ: આપના ધારાસભ્ય ચૈતર વસાવાએ વાગરા વિધાનસભા મતવિસ્તારમાં કર્યો લોકસંપર્ક
દેશમાં લોકસભા ચૂંટણી માટેની દાવેદારી સક્ષમ કરવા ડેડીયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા મેદાનમાં ઉતર્યા છે.
BY Connect Gujarat Desk11 Sep 2023 7:53 AM GMT
X
Connect Gujarat Desk11 Sep 2023 7:53 AM GMT
ભરૂચ લોકસભા બેઠકમાં આવતા વાગરા વિધાનસભા વિસ્તારમાં આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્યએ જનસંપર્ક યોજી લોકોના મુદ્દા સાંભળવામાં આવ્યા હતા
દેશમાં લોકસભા ચૂંટણી માટેની દાવેદારી સક્ષમ કરવા ડેડીયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા મેદાનમાં ઉતર્યા છે. હાલ તેઓ સંગઠનાત્મક કામગીરીમાં લાગ્યા છે. વિવિધ વિધાનસભા વિસ્તારોમાં અઠવાડિયાનો એક દિવસ ફાળવી સ્થાનિકોની સમસ્યાઓ સાંભળી તેઓના મુદ્દા તૈયાર કરી લોકસભાની ચૂંટણીમાં ઉતારવાની તૈયારીમાં લાગી ગયા છે. આમ આદમી પાર્ટીના લોકસભા ઇન્ચાર્જ યાકુબ ગુરુજીના કાર્યાલય ખાતે ઉપસ્થિત રહી સ્થાનિક કાર્યકર્તાઓ સાથે જન સંપર્ક યોજી તેમની સમસ્યાઓ જાણી હતી.
Next Story