Connect Gujarat
ભરૂચ

ભરૂચ : 236 દિવસ બાદ કોવિડ સ્મશાનમાં ચિતા સળગી, વૃદ્ધના કોરોના પ્રોટોકોલના આધારે અંતિમ સંસ્કાર

વિશ્વમાં કોરોનાનો નવો વેરીયન્ટ હાહાકાર મચાવી રહ્યો છે, જેને લઈ ભારત સરકાર પણ સતર્ક બની છે. આ તરફ ભરૂચમાં પણ કોરોનાના નવા કેસ નોંધાઈ રહ્યા છે.

X

ભરૂચના સ્પેશ્યલ કોવિડ સ્મશાનમાં 236 દિવસ બાદ ચિતા સળગતી જોવા મળી હતી. 81 વર્ષીય કોરોના પોઝિટિવ વૃદ્ધનું મૃત્યુ થતાં કોવિડ પ્રોટોકોલના આધારે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

વિશ્વમાં કોરોનાનો નવો વેરીયન્ટ હાહાકાર મચાવી રહ્યો છે, જેને લઈ ભારત સરકાર પણ સતર્ક બની છે. આ તરફ ભરૂચમાં પણ કોરોનાના નવા કેસ નોંધાઈ રહ્યા છે. ભરૂચમાં નર્મદા નદીના કિનારે રાજ્યનું સૌપ્રથમ સ્પેશ્યલ કોવિડ સ્મશાન બનાવવામાં આવ્યું હતું, જ્યાં 236 દિવસ બાદ આજરોજ ફરીથી ચિતા સળગતી જોવા મળી હતી. મળતી માહિતી અનુસાર, કોવિડ સ્મશાનમાં 81 વર્ષીય વૃદ્ધ રમણભાઈ રામચંદ્રભાઈ જયસ્વાલના કોરોના પ્રોટોકોલના આધારે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. ઝઘડીયા તાલુકાના વાસણા ગામે રહેતા 81 વર્ષીય વૃદ્ધ ગત તા. 15મી માર્ચથી ભરૂચની જીવન જ્યોત હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા. જોકે, તેઓએ વેક્સિનના બન્ને ડોઝ લીધા હોવાનું પણ જાણવા મળ્યું છે. આ દરમ્યાન કોવિડ રિપોર્ટ પોઝિટિવ આવતા તેઓનું મોત નીપજ્યું હતું, ત્યારે સ્પેશ્યલ કોવિડ સ્મશાન ખાતે તેઓના અગ્નિસંસ્કાર કરવામાં આવ્યા હતા. કોરોનાના નવા વેરીયન્ટના કારણે દહેશતનો માહોલ છે, ત્યારે કોરોના ફરીથી માથુ ઊંચકી રહ્યો હોવાનું લાગી રહ્યું છે. આવા સમયે સાવચેતી એ જ સલામતી સૂત્રને અનુરૂપ માસ્ક અને સોશ્યલ ડીસ્ટન્સનું પાલન કરીયે તે ખૂબ જરૂરી બન્યું છે.

Next Story