ભરૂચ: સક્રિય પત્રકાર સંઘ દ્વારા એક શામ શહીદો કે નામ કાર્યક્રમ યોજાયો ,કનેક્ટ ગુજરાત બન્યુ સહભાગી

ભરૂચ સક્રિય પત્રકાર સંઘ દ્વારા સ્વાતંત્ર પર્વ નિમિત્તે "એક શામ શહીદો કે નામ" મ્યુઝિકલ નાઈટનું આયોજન કરવામાં આવ્યું હતુ

New Update
ભરૂચ: સક્રિય પત્રકાર સંઘ દ્વારા એક શામ શહીદો કે નામ કાર્યક્રમ યોજાયો ,કનેક્ટ ગુજરાત બન્યુ સહભાગી

ભરૂચ સક્રિય પત્રકાર સંઘ દ્વારા સ્વાતંત્ર પર્વ નિમિત્તે "એક શામ શહીદો કે નામ" મ્યુઝિકલ નાઈટનું આયોજન કરવામાં આવ્યું હતુ

Advertisment W3.CSS

ભરૂચ જીલ્લાના પત્રકારોના સંગઠન ભરૂચ સક્રિય પત્રકાર સંઘ દ્વારા સ્વાતંત્ર પર્વ ની ઉજવણી નિમિતે દેશના વીર જવાનોને શ્રધ્ધાસુમન અર્પવા સાથે મહામુલી આઝાદીમાં યોગદાન આપનાર શહીદોના માનમાં "એક શામ શહીદો કે નામ" મ્યુઝિકલ નાઈટનું આયોજન પંડિત ઓમકારનાથ ઠાકુર હોલ ખાતે કરાયું હતું.જેમાં ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટય કરાયા બાદ શહીદોનો બે મિનિટના મૌનરૂપી શ્રદ્ધાંજલી અર્પવામાં આવી હતી. આ દેશભક્તિ સભર સંગીત સફરમાં ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલસિંહ રણા, નગરપાલિકા પ્રમુખ અમિત ચાવડા, ઉપપ્રમુખ નીનાબા યાદવ, ભરૂચ પાલિકાના વિપક્ષના નેતા સમસાદ અલી સૈયદ ,વિપક્ષના દંડક હેમેન્દ્ર કોઠીવાલા,ભરૂચ જીલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન ધર્મેશ મિસ્ત્રી, પાલિકા વોટર વર્ક્સ કમિટી ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિ,સહિતના રાજકીય અને સામાજિક આગેવાનો તેમજ ભરૂચ સક્રિય પત્રકાર સંઘના હોદ્દેદારો,સભ્યો અને સંગીત પ્રેમી પ્રજાજનોએ ઉપસ્થિત રહી મ્યુઝિકલ નાઈટ માણી હતી. આ કાર્યક્રમને કનેક્ટ ગુજરાત ન્યૂઝ ચેનલનો સહયોગ સાંપડ્યો હતો

Read the Next Article

અંકલેશ્વર: DGVCLનું વીજ મીટર ક્ષતિગ્રસ્ત થતા વીજ બિલ આવ્યું વધુ, ગ્રાહકે રજુઆત કરતા ભૂલ બહાર આવી

અંદાડા ગામમાં રહેતું એક સામાન્ય પરિવાર જે પોતાનુ ઘર ગુજરાત સામાન્ય નોકરી અને મજૂરી કરી ચલાવતા હોય તેવા પરિવારનું લાઈટ બિલ અચાનક 6000 આવતા પરિવારના લોકો ચોકી ઉઠ્યા

New Update
  • અંકલેશ્વરના અંદાડાનો બનાવ

  • વીજ મીટરમાં સર્જાય ક્ષતિ

  • સામાન્ય મકાનનું બિલ વધુ આવ્યું

  • પરિવારે વીજ કંપનીને કરી રજુઆત

Advertisment W3.CSS
અંકલેશ્વરમાં દક્ષિણ ગુજરાત વીજ કંપનીની બેદરકારીના પગલે સામાન્ય ઘરનું વીજબીલ વધુ આવતા પરિવારજનોએ વીજ કંપનીની કચેરીએ રજૂઆત કરી હતી અંકલેશ્વરના અંદાડા ગામમાં રહેતું એક સામાન્ય પરિવાર જે પોતાનુ ઘર ગુજરાત સામાન્ય નોકરી અને મજૂરી કરી ચલાવતા હોય તેવા પરિવારનું લાઈટ બિલ અચાનક 6000 આવતા પરિવારના લોકો ચોકી ઉઠ્યા હતા.
પરિવારના સભ્યોએ ડીજીવીસીએલ કચેરી ખાતે જઈને અધિકારીઓને રજુઆત કરી હતી જેના પગલે પરિવારને 680 રૂપિયા લાઈટ બિલ ભરવા માટે લખી આપવામાં આવ્યું હતું.ડીજીવીસીએલના અધિકારીએ જણાવ્યું હતું કે છેલ્લા પાંચ લાઈટ બિલથી મીટરમાં ફોલ્ટ હોવાને લીધે સરેરાશ બિલ જનરેટ થાય છે. તેથી આ વખતે પણ બધા બિલનો સરવાળો કરી રીડિંગ લેવામાં આવ્યુ હતુ જેના કારણે આ પ્રશ્ન ઉદ્દભવ્યો છે.