Connect Gujarat
ભરૂચ

ભરૂચ-અંકલેશ્વર અગ્રવાલ સમાજ દ્વારા ભરૂચમાં “મહારાજા અગ્રસેન” શોભાયાત્રા યોજાય...

અગ્રવાલ સમાજના લોકો દ્વારા શ્રી અગ્રસેનજી મહારાજાની 5147મી જયંતિ સમારોહ નિમિત્તે ભરૂચમાં શોભાયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

X

સેવા, સંસ્કૃતિ અને સંસ્કારથી પરિપૂર્ણ ભરૂચ-અંકલેશ્વર અગ્રવાલ સમાજ દ્વારા શ્રી અગ્રસેનજી મહારાજાની 5147મી જયંતિ સમારોહ નિમિત્તે ભરૂચ શહેરમાં મહારાજા અગ્રસેન શોભાયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

ભરૂચ અને અંકલેશ્વર શહેરમાં વસતા અગ્રવાલ સમાજના લોકો દ્વારા શ્રી અગ્રસેનજી મહારાજાની 5147મી જયંતિ સમારોહ નિમિત્તે ભરૂચમાં શોભાયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. શહેરના ઝાડેશ્વર રોડ સ્થિત તુલસીધામ મહાદેવ મંદિરના પ્રાંગણથી કસક જલારામ મંદિર સુધી ડીજે બેન્ડ, બગી-રથ તેમજ ઢોલ-નગારાના તાલે અગ્રવાલ સમાજની મહિલાઓ પરંપરાગત પીળી સાડી તેમજ બાળકો અને યુવાઓ પણ પીળા રંગનો પોશાક ધારણ કરી “મહારાજા અગ્રસેન” શોભાયાત્રામાં જોડાયા હતા. આ પ્રસંગે અગ્રવાલ સમાજના આગેવાનો, સભ્યો તેમજ મોટી સંખ્યામાં આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા.

Next Story