ભરૂચ: મામલતદાર કચેરી ખાતે અપૂરતી સુવિધાના કારણે અરજદારો અટવાયા,સર્વર ડાઉન હોવાનો લૂલો બચાવ
છેલ્લા ચાર દિવસથી ભરૂચ મામલતદાર કચેરી ખાતે અપૂરતી સુવિધાના કારણે વિવિધ યોજનાના લાભાર્થીઓ અને અરજદારોને ધરમ ધક્કા ખાવાનો વારો આવ્યો છે.
BY Connect Gujarat6 Oct 2022 10:16 AM GMT
X
Connect Gujarat6 Oct 2022 10:16 AM GMT
છેલ્લા ચાર દિવસથી ભરૂચ મામલતદાર કચેરી ખાતે અપૂરતી સુવિધાના કારણે વિવિધ યોજનાના લાભાર્થીઓ અને અરજદારોને ધરમ ધક્કા ખાવાનો વારો આવ્યો છે.
હાલમાં વિવિધ પડતર માંગણીઓને લઇ ભરૂચ મામલતદાર કચેરીના કેટલાક વિભાગના કર્મચારીઓ હડતાળ ઉપર ઉતરી પડવાથી વિવિધ યોજનાના લાભાર્થીઓ અને અરજદારો અટવાઈ પડ્યા હતા જે બાદ કર્મચારીઓ ફરી પોતાની સેવાના કાર્યસ્થળે હાજર થતા છે ત્યારે ભરૂચ મામલતદાર કચેરી ખાતે સવારથી લાઈન લગાવી ઉભા રહેતા અરજદારોને હેરાન પરેશાન થવાનો વારો આવી રહ્યો છે વિવિધ યોજનાના લાભાર્થીઓ અને અરજદારો કચેરી ખાતે પોતાના કામ માટે આવે છે ત્યાં હાજર સ્ટાફ દ્વારા સર્વર ડાઉન હોવા સાથે ધરમ ધક્કા ખવડાવી રહ્યા હોવાની ફરિયાદો કરી રહ્યા છે ત્યારે તંત્ર દ્વારા યોગ્ય સુવિધા કરવામાં આવે તે અત્યંત જરૂરી છે.
Next Story