ભરૂચ : પૂરના પાણી ઓસરતાં પાલિકા તંત્ર સજ્જ થયું, સફાઇ કામગીરીનો પ્રારંભ કરાયો…..

પુરના પાણી ઓસરતા આ વિસ્તારોમાં ગંદકીના થર જામ્યા છે. જેના પગલે પાલિકા તંત્ર તરત જ એક્શનમાં આવ્યું છે.

New Update
ભરૂચ : પૂરના પાણી ઓસરતાં પાલિકા તંત્ર સજ્જ થયું, સફાઇ કામગીરીનો પ્રારંભ કરાયો…..

નર્મદા નદીમાં પૂરના કારણે આખું ભરુચ શહેર પાણીમાં તરબોળ થઈ ગયું હતું ત્યારે હવે પૂરના પાણી ઓસરતા પાલિકા તંત્ર દ્વારા સફાઈની કામગીરી હાથ ધરવામાં આવી છે. ભરૂચના ગોલ્ડન બ્રિજ ખાતે નર્મદા નદીએ 42 ફૂટની સપાટીએ પહોંચતા નદીમાં આવેલા પૂરના કારણે ભરૂચ શહેરના નિચાણવાળા વિસ્તારોમાં દાંડિયા બજાર, ધોળીકુઈ, ફુરજા સહિતનાં વિસ્તારોમાં પાણી ભરાયાં હતા. પૂરના પાણી સાથે કચરો તેમજ માટી કાદવ-કીચડ પણ ખેંચાઈ આવતા પરિસ્થિતિ વધુ વિકટ બની હતી. ત્યારે હવે પુરના પાણી ઓસરતાં જ પાલિકા તંત્ર દ્વારા પૂરગ્રસ્ત વિસ્તારોમાં સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી છે.

પુરના પાણી ઓસરતા આ વિસ્તારોમાં ગંદકીના થર જામ્યા છે. જેના પગલે પાલિકા તંત્ર તરત જ એક્શનમાં આવ્યું છે. ભરૂચના ચીફ ઓફિસર અને પાલિકા કર્મચારીઓ સાથે પાલિકા પ્રમુખ વિભૂતિ યાદવ, ઉપ પ્રમુખ અક્ષર પટેલ, કારોબારી ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિ, સહિત પાલિકાના સભ્યો પૂરગ્રસ્ત વિસ્તારોમાં ઉતરી પડયું છે. ભરૃચ ઉપરાંત જંબુસર, બારડોલી, બીલીમોરા પાલિકા કર્મચારીઓની 15 જેટલી ટીમો, જેસીબી અને ટ્રેકટરો દ્વારા રાતોરાત સફાઈમાં જોતરાઈ ગયા હતા. ભરૂચમાં પુરના પાણી ઓસર્યા બાદ રોગચાળો ના ફાટી નીકળે તે માટેની તકેદારી રાખી પાલિકા તંત્ર સજજ બન્યું છે.

Read the Next Article

ભરૂચ: નેત્રંગના ધાંણીખુટ પાસે કરજણ નદી પર બનાવાયેલ બ્રિજ જર્જરીત હાલતમાં, તાત્કાલિક સમારકામની માંગ

ગંભીરા બ્રિજની ધટના બાદ રાજય ભરમાં જોખમી બ્રિજોની ચકાસણી ચાલી રહી છે. તેવા સંજોગોમાં ભરૂચ જીલ્લામાં પણ આવા જોખમી જજઁરીત બ્રિજોની તપાસ ચાલી રહી છે. ત્યારે  નેત્રંગ-ડેડીયાપાડા

New Update
MixCollage-12-Jul-2025-

ગંભીરા બ્રિજની ધટના બાદ રાજય ભરમાં જોખમી બ્રિજોની ચકાસણી ચાલી રહી છે. તેવા સંજોગોમાં ભરૂચ જીલ્લામાં પણ આવા જોખમી જજઁરીત બ્રિજોની તપાસ ચાલી રહી છે.

ત્યારે  નેત્રંગ-ડેડીયાપાડા રોડ પર નેત્રંગ તાલુકાના ધાંણીખુટ ગામ પાસેથી વહેતી કરજણ નદી પર વર્ષો જુનો નિમાઁણ થયેલ બ્રિજ પણ જજઁરીત હાલતમાં થઈ ગયો છે.
આ બ્રિજ ભરૂચ અને નર્મદા તેમજ મહારાષ્ટ્ર રાજ્યને જોડતો  બ્રિજ છે. હાલ આ બ્રિજ નેશનલ હાઇવે ઓથોરીટી ઓફ ઇન્ડીયાના તાબા હેઠળ છે. અંકલેશ્વર,ભરૂચ, વડોદરા અને દહેજ જીઆઇડીસીના ઔદ્યોગિક એકમોમાં બનતી ભારેખમ મશીનરીઓ  મોટા વાહનો મારફત મહારાષ્ટ્ર થઈ અન્ય રાજ્યોમાં જાય છે.બાકી અન્ય ભારદારી વાહનો પણ રોજેરોજ આ બ્રિજ પરથી પસાર થઇ રહ્યા છે. તેવા સંજોગો ગંભીરા બ્રિજની બનેલ દુર્ઘટના બાદ સ્થાનિક રહીશોમાં આ બ્રિજની જજઁરીત હાલત જોઈ ને ભય સતાવી રહ્યો છે તેવા સંજોગોમાં જીલ્લા કલેક્ટર તેમજ નેશનલ હાઇવે ઓથોરીટી ઓફ ઇન્ડીયાના અધિકારીઓ આ બ્રિજની તાત્કાલિક તપાસ હાથ ધરે તેમજ બ્રિજ આજુબાજુ તુટી ગયેલ રેલીંગની મરામત કરે એવી માંગ ઉઠી છે.
Latest Stories