Connect Gujarat
ભરૂચ

ભરૂચ:વિધાનસભા ભાજપનો રાજપૂત છાત્રાલય ખાતે નુતનવર્ષ સ્નેહ-મિલન સમારોહ યોજાયો

નૂતનવર્ષ સ્નેહમિલન સમારોહમાં ઉપસ્થિત જિલ્લા પ્રભારી, સાંસદ, ભરૂચના ધારાસભ્ય સહિતના ઉપસ્થિત આગેવાનોએ હાજર સૌ કાર્યકર્તાઓને નૂતનવર્ષની શુભેચ્છાઓ પાઠવી

X

ભરૂચની રાજપૂત છાત્રાલય ખાતે જિલ્લા પ્રભારી, સાંસદ તેમજ ભરૂચના ધારાસભ્યની ઉપસ્થિતિમાં 153 ભરૂચ વિધાનસભા ભાજપનું નૂતનવર્ષ સ્નેહ મિલન સમારોહ યોજવામાં આવ્યું હતું. 2024 ની લોકસભાની ચૂંટણીમાં મોટી લીડથી જીતવાના આહવાન સાથે 153 ભરૂચ વિધાનસભા ભાજપનું નૂતનવર્ષ સ્નેહ મિલન કાર્યક્રમ રાજપૂત છાત્રાલય ખાતે યોજવામાં આવ્યો હતો.

જેમાં મોટી સંખ્યામાં કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા.રાજપૂત છાત્રાલય ખાતે યોજાયેલ નૂતનવર્ષ સ્નેહમિલન સમારોહમાં ઉપસ્થિત જિલ્લા પ્રભારી, સાંસદ, ભરૂચના ધારાસભ્ય સહિતના ઉપસ્થિત આગેવાનોએ હાજર સૌ કાર્યકર્તાઓને નૂતનવર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી અને આગામી 2024ની લોકસભાની ચૂંટણી મોટી લીડથી જીતવાની હાકલ કરી છે.આ પ્રસંગે ભાજપના ભરૂચ જિલ્લા પ્રભારી અશોક પટેલ, સાંસદ મનસુખ વસાવા,ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રાણા,જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, ભરૂચ નગર પાલિકા પ્રમુખ, જિલ્લા પંચાયતના સદસ્યો,નગર સેવકો સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

Next Story