ભરૂચ: આવતીકાલ તારીખ 15 ફેબ્રુઆરીએ ભાજપ દ્વારા લાભાર્થી કાર્યશાળા યોજાશે

લોકસભાની ચૂંટણી નજીક આવતા જ ભાજપ દ્વારા સંગઠનને વધુ મજબૂત બનાવવામાં આવી રહ્યું છે

New Update
ભરૂચ: આવતીકાલ તારીખ 15 ફેબ્રુઆરીએ ભાજપ દ્વારા લાભાર્થી કાર્યશાળા યોજાશે

લોકસભાની ચૂંટણી નજીક આવતા જ ભાજપ દ્વારા સંગઠનને વધુ મજબૂત બનાવવામાં આવી રહ્યું છે જેના ભાગરૂપે આવતીકાલે તારીખ 15 ફેબ્રુઆરીના રોજ ભરૂચમાં કોલેજ રોડ પર આવેલ આત્મીય હોલ ખાતે સવારે 10 કલાકે લાભાર્થી કાર્યશાળા યોજાશે .

ભરૂચ લોકસભા મતવિસ્તાર ભાજપની યોજાનાર કાર્યશાળામાં ક્લસ્ટર પ્રભારી અને પૂર્વ ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા, લોકસભાના પ્રભારી અજય ચોક્સી, સંયોજક યોગેશ પટેલ, ભરૂચ જિલ્લા ભાજપના પ્રભારી અશોક પટેલ, ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, નર્મદા જિલ્લા ભાજપના પ્રમુખ ઘનશ્યામ પટેલ, વડોદરા જિલ્લા ભાજપના પ્રમુખ સતીશ પટેલ, કાર્યશાળાના દક્ષિણ ગુજરાતના સંયોજક કરશન ગોંડલીયા તેમજ આગેવાનો ઉપસ્થિત રહેશે આ કાર્યશાળામાં આગેવાનો દ્વારા લાભાર્થીઓને લગતી વિસ્તૃત માહિતી આપવામાં આવશે

Read the Next Article

ભરૂચ: ક્ષત્રિય આગેવાન પી.ટી.જાડેજાને જેલ મુક્ત કરવાની માંગ, પાસા હેઠળ કરવામાં આવી છે અટકાયત

અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ પી.ટી.જાડેજાની પાસા કાયદા હેઠળ જેલમાં કેદ કરવામાં આવ્યા છે. તેઓને તાત્કાલિક જેલ મુક્ત કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી

New Update
  • ભરૂચ કલેકટરને આવેદનપત્ર પાઠવાયું

  • રાજપૂત યુવા સંઘ દ્વારા આવેદનપત્ર પાઠવાયું

  • ક્ષત્રિય આગેવાન પીટી જાડેજાને મુક્ત કરવા માંગ

  • પાસા હેઠળ કરવામાં આવી છે અટકાયત

  • ખોટી રીતે કાર્યવાહી કરાય હોવાના આક્ષેપ

અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ પી.ટી.જાડેજાને તાત્કાલિક જેલ મુક્ત કરવાની માંગ સાથે ભરૂચ જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવાયું હતું.
ભરૂચ જિલ્લા કલેકટર કચેરી ખાતે અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના પ્રદેશ મંત્રી સહિત સમાજના તમામ સભ્યોએ એક આવેદનપત્ર પાઠવ્યું હતું.જેમાં જણાવ્યા અનુસાર અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ પી.ટી.જાડેજાની પાસા કાયદા હેઠળ જેલમાં કેદ કરવામાં આવ્યા છે.જેના સામે સમાજના તમામ સંગઠનોએ વખોડી કાઢી તેઓને તાત્કાલિક જેલ મુક્ત કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે રાજકોટમાં અમરનાથ મંદિરમાં આરતી કરવા જેવી બાબતે બોલાચાલી થતાં ધમકી આપવામાં આવી હોવાના આક્ષેપ સાથેની ઓડિયો-ક્લિપ સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ હતી. એ બાદ તેમને પાસા હેઠળ અમદાવાદ સાબરમતી જેલ ખાતે મોકલવા કાર્યવાહી કરવામાં આવી હતી.