ભરૂચ : ભોલાવ એસટી. ડેપો ખાતે અગ્રવાલ સમાજ દ્વારા લોકોને છાસ તેમજ ઠંડા પાણીનું વિતરણ કરી સેવાકાર્ય કરાયું...

ભોલાવ એસટી. ડેપો ખાતે અગ્રવાલ સમાજ ભરૂચ-અંક્લેશ્વર દ્વારા લોકોને છાસ તેમજ ઠંડા પાણીનું વિતરણ કરી સેવાકાર્ય કરવામાં આવ્યું હતું.

New Update
ભરૂચ : ભોલાવ એસટી. ડેપો ખાતે અગ્રવાલ સમાજ દ્વારા લોકોને છાસ તેમજ ઠંડા પાણીનું વિતરણ કરી સેવાકાર્ય કરાયું...

ભરૂચ શહેરના ભોલાવ એસટી. ડેપો ખાતે અગ્રવાલ સમાજ ભરૂચ-અંક્લેશ્વર દ્વારા લોકોને છાસ તેમજ ઠંડા પાણીનું વિતરણ કરી સેવાકાર્ય કરવામાં આવ્યું હતું.

ઉનાળાની બળબળતી ગરમીમાં ભરૂચ શહેરના ભોલાવ એસટી. ડેપો ખાતે મુસાફરો અને એસટી કર્મચારીઓ માટે સેવા, સંસ્કૃતિ અને સંસ્કાર માટે કાર્યરત અગ્રવાલ સમાજ ભરૂચ-અંક્લેશ્વર દ્વારા ઠંડા પાણીની સેવા પૂરી પાડવા સાથે છાસનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં અગ્રવાલ સમાજ ભરૂચ-અંક્લેશ્વરના પ્રમુખ દિલીપકુમાર અગ્રવાલ, શિવ રામજી અગ્રવાલ, અશોક કનોડિયા, સુરેશ ભદોરીયા, પ્રદીપ અગ્રવાલ, શુભમ તોડી સહિતના હોદ્દેદારો અને સ્વયં સેવકો ઉપસ્થિત રહી સેવાકાર્યમાં સહભાગી બન્યા હતા.


Latest Stories