ભરૂચ : બિસ્માર માર્ગના કારણે ત્રસ્ત ઝઘડિયા-ખરચીના ગ્રામજનોનું રસ્તા રોકો આંદોલન...

ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના ખરચી ગામ નજીક બિસ્માર માર્ગના કારણે ત્રસ્ત ગ્રામજનોએ રસ્તા રોકો આંદોલન કર્યું હતું.

New Update
ભરૂચ : બિસ્માર માર્ગના કારણે ત્રસ્ત ઝઘડિયા-ખરચીના ગ્રામજનોનું રસ્તા રોકો આંદોલન...

ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના ખરચી ગામ નજીક બિસ્માર માર્ગના કારણે ત્રસ્ત ગ્રામજનોએ રસ્તા રોકો આંદોલન કર્યું હતું. જોકે, સ્થાનિક પોલીસે લોકોને સમજાવતા મામલો થાળે પડ્યો હતો.

ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના ખરચી ગામ નજીક ગ્રામજનો દ્વારા બિસ્માર માર્ગના કારણે રસ્તા રોકો આંદોલન કરવામાં આવ્યું હતું. બિસ્માર્ગ માર્ગના પરથી ઊડતી ધૂળના કારણે લોકોને અનેક બીમારીઓ થાય છે. વાહનોને પણ નુકસાન થાય છે, તેમજ અકસ્માતો પણ વધ્યા છે, ત્યારે આ માર્ગનું જલ્દીથી સમારકામ કરવામાં આવે તેવી ગ્રામજનો દ્વારા માંગ કરવામાં આવી છે. તેવામાં ખરચી ગામ નજીક સ્ટેટ હાઇવે પર ગ્રામજનોએ ટ્રેક્ટર, પથ્થરો તેમજ બાઇકો આડી મૂકી ચક્કાજામ કર્યો હતો.

સ્ટેટ હાઇવેને બંધ કરી દેવાતા વાહનોની લાંબી કતારો લાગી હતી. બનાવની જાણ થતા જ ઝઘડિયા પોલીસ મથકના પીઆઈ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. જોકે, સ્થાનિક પોલીસે લોકોને સમજાવતા મામલો થાળે પડ્યો હતો અને માર્ગ ફરીથી રાબેતા મુજબ શરૂ થયો હતો. પરંતુ ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી છે કે, જો આ સમસ્યાનું સમાધાન જલ્દીથી નહીં કરવામાં આવે તો, ફરીથી આ માર્ગ બંધ કરી ઉગ્ર આંદોલન કરવામાં આવશે.

Read the Next Article

અંકલેશ્વર: મહોરમનું પર્વ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થતા તાજીયા કમિટી દ્વારા તંત્રનો આભાર વ્યક્ત કરાયો

અંકલેશ્વર શહેર-તાલુકા તાજીયા કમિટી દ્વારા વહીવટી તંત્ર, પોલીસ પ્રશાસન, ગુજરાત વિદ્યુત બોર્ડ અને અંકલેશ્વર નગરપાલિકાનો આભાર વ્યક્ત કરી સન્માન કરવામાં આવ્યું

New Update
Tajiya Commitee
અંકલેશ્વર શહેર-તાલુકા તાજીયા કમિટી દ્વારા વહીવટી તંત્ર, પોલીસ પ્રશાસન, ગુજરાત વિદ્યુત બોર્ડ અને અંકલેશ્વર નગરપાલિકાનો આભાર વ્યક્ત કરી સન્માન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વરમાં મોહરમનું પર્વ શાંતિપૂર્ણ અને કોમી એખલાસભર્યા વાતાવરણમાં સંપન્ન થયું છે જે બદલ અંકલેશ્વર શહેર તાલુકા તાજીયા કમિટી દ્વારા પ્રાંત અધિકારી, મામલતદાર  કરણસિંહ રાજપૂત, નાયબ પોલીસ અધિક્ષક,ડો.કુશલ ઓઝા,પોલીસ ઇન્સ્પેકટર  પી જી ચાવડા, પાલિકા પ્રમુખ લલીતાબેન રાજપુરોહિત, શિક્ષણ સમિતિ ચેરમેન ગણેશ અગ્રવાલ, ભાજપ શહેર પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કર્ણા સહિતના આગેવાનોનો આભાર વ્યક્ત કરી તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

Tajiya Commitee Ankleshwar

આ પ્રસંગે કમિટીના પ્રમુખ બખ્તિયાર પટેલ, સેક્રેટરી વસીમ ફડવાલા, ઉપપ્રમુખ અમન પઠાણ, નૂર કુરેશી, લીગલ એડવાઈઝર હારુન મલેક સહિતના આગેવાનો અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
Latest Stories