Connect Gujarat
ભરૂચ

ભરૂચ : અગ્રવાલ સમાજ દ્વારા આયોજિત મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં રક્તદાતાઓએ કર્યું ઉત્સાહભેર રક્તદાન

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 72મા જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે ભરૂચની નારાયણ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે અગ્રવાલ સમાજ દ્વારા મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

X

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 72મા જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે ભરૂચની નારાયણ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે અગ્રવાલ સમાજ દ્વારા મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

ભરૂચના ઝાડેશ્વર રોડ પર તુલસીધામ વિસ્તારમાં આવેલ નારાયણ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે અગ્રવાલ સમાજ ભરૂચ અને અંકલેશ્વર દ્વારા રેડક્રોસ બ્લડ બેન્ક-ભરૂચના સંયુક્ત ઉપક્રમે 14મો મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 72મા જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે યોજાયેલ બ્લડ ડોનેશન કેમ્પમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું. રક્તદાન શિબિર દરમ્યાન રક્તદાતાઓને પ્રમાણપત્ર તેમજ ભેટ આપી સન્માનીત કરાયા હતા. આ પ્રસંગે અગ્રવાલ સમાજના અધ્યક્ષ શિવરામ અગ્રવાલ, મહામંત્રી દિલીપ અગ્રવાલ, નિતીન ચૌધરી, સુનિલ જૈન, સંજુ ટોડી, બલદેવ મિત્તલ સહિત મહિલા સમિતિની મહિલા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Next Story