ભરૂચમાં જૈનોના 21માં તીર્થંકર નેમીનાથ ભગવાનના જન્મ મહોત્સવની ઉજવણી
શ્રીમાળી પોળ સ્થિત મુનીસુવ્રત પ્રભુના પ્રાંગણમાં ઉજવણીનું કરવામાં આવ્યું આયોજન
વિવિધ ધાર્મિયક કાર્યક્રમો યોજાયા
ભરૂચના શ્રીમાળી પોળ સ્થિત મુનીસુવ્રત પ્રભુના પ્રાંગણમાં જૈનોના 21માં તીર્થંકર નેમીનાથ ભગવાનના જન્મ મહોત્સવની ખૂબ જ આનંદ ઉત્સાહ અને ઉમંગપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી
ભરૂચમાં જૈનોના 21માં તીર્થંકર નેમીનાથ ભગવાનના જન્મ મહોત્સવની ખૂબ જ આનંદ ઉત્સાહ અને ઉમંગપૂર્વક ઉજવણી કર્વમાં આવી હતી.ગીતાર્થ ગચ્છાધિપતિ પૂજ્ય આચાર્ય ભગવાન રાજ્યસસૂરી મહારાજ સાહેબ, પૂજ્ય આચાર્ય ભગવાન વિતરાગયશ સુરી મહારાજ સાહેબ, પૂજ્ય ઉપાધ્યાય વિસૃતયશ વિજય મહારાજ સાહેબની નિશ્રમાં પ્રભુ ભક્તિના કાર્યક્રમે રંગ જમાવેલ સેકડો ભાવિકો આ પ્રસંગમાં ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચના સાત જૈન સંઘે સાથે મળી આ મહોત્સવનું આયોજન કારયુ હતું. આ કાર્યક્રમ દરમ્યાન પૂજ્ય આચાર્ય ભગવાન વિતરાગયશ મહારાજ સાહેબે પ્રભુની પ્રભુતા પર ખૂબ જ હદયસ્પર્શી પ્રવચન આપ્યું હતું.