ભરૂચ: વેજલપુર વિસ્તારમાં વરસાદી માહોલ વચ્ચે પડેલ ખાડાઓથી પ્રજા ત્રસ્ત, સ્થાનિકોમાં રોષ

ભરૂચના વેજલપુર વિસ્તારમાં વરસાદી માહોલ વચ્ચે માર્ગ બિસ્માર બનતા સ્થાનિકો હાલાકી વેઠી રહ્યા છે ત્યારે માર્ગના સમારકામની માંગ કરવામાં આવી છે.

New Update
ભરૂચ: વેજલપુર વિસ્તારમાં વરસાદી માહોલ વચ્ચે પડેલ ખાડાઓથી પ્રજા ત્રસ્ત, સ્થાનિકોમાં રોષ

ભરૂચના વેજલપુર વિસ્તારમાં વરસાદી માહોલ વચ્ચે માર્ગ બિસ્માર બનતા સ્થાનિકો હાલાકી વેઠી રહ્યા છે ત્યારે માર્ગના સમારકામની માંગ કરવામાં આવી છે.

ભરૂચ શહેરમાં સાવચેતીના ભાગરૂપે પ્રિ-મોન્સુન કામગીરી કરવા છતાં ગામડાઓ કરતાં પણ શહેરની પરિસ્થિતી વધુ વિકટ બની છે. વરસાદી માહોલ વચ્ચે રોડ રસ્તાઓનું ધોવાણ થતાં મસમોટા ખાડાઓનું નિર્માણ થયું છે. સ્થાનિક કોર્પોરેટરોનું ધ્યાન આ ખાડાઓ ઉપર જતું નથી અથવા આંખ આડા કાન કરે છે. સ્થાનિક સમસ્યાઓને યોગ્ય રીતે રજૂ કરી તેના નિકાલ કરવાના હેતુ સ્થાનિક રહીશો કોર્પોરેટરો ઉપર વિશ્વાસ કરી ચૂંટીને મોકલતા હોય છે પરંતુ શાસક પક્ષના કોર્પોરેટરો હોવા છતાં સમસ્યા ઠેરની ઠેર છે.

ખાડાઓથી ત્રસ્ત પ્રજા પારાવાર હાલાકીનો સામનો કરી રહી છે. પ્રજાને ભૌતિક સુખાકારી આપવા વિભિન્ન પારકારના લાખો-કરોડોનો ટેક્ષ વહીવટીતંત્ર વસૂલતી હોવા છતાં સુવિધા નામે શૂન્ય જ છે. ભરૂચનાં વેજલપુર વિસ્તારની સમસ્યાને જ નહીં સમગ્ર ભરૂચની ખાડા સમસ્યાનો સત્વરે નિકાલ આવે તેવા ત્વરિત પગલાં ભરવા આમ જનતાની લાગણી અને માંગણી છે.

Read the Next Article

ભરૂચ : નિકોરાના આનંદીમાં આશ્રમ ખાતે સંસ્કારોનું સિંચન અને સંસ્કૃતિનું જતન શિબિર યોજાઈ,800થી વધુ બહેનોએ લીધો લાભ

નિકોરા ધ્યાની ધામ આનંદીમાં આશ્રમ ખાતે 13 વર્ષથી વધુ વયની રાજપુત દીકરીઓ માટે એક દિવસીય શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 800થી વધુ રાજપૂત દિકરીઓએ લીધો શિબિરમાં ભાગ

New Update
  • સંસ્કારોનું સિંચન અને સંસ્કૃતિનું જતન વિષય પર યોજાઈ શિબિર

  • નિકોરા આનંદીમાં ધ્યાની ધામ આશ્રમ ખાતે યોજાઈ શિબિર

  • રાજપૂત સમાજની દીકરીઓ માટે કરાયું આયોજન

  • 800થી વધુ રાજપૂત દિકરીઓએ લીધો શિબિરમાં ભાગ

  • રાજપૂત યુવા સંઘ પ્રેરિત મહિલા સંઘના હોદેદારોનું કરાયું સન્માન

ભરૂચના નિકોરા આનંદીમાં આશ્રમ ખાતે સંસ્કારોનું સિંચન અને સંસ્કૃતિનું જતન શિબિર યોજાઈ હતી. જેમાં800થી વધારે બહેનોએ આ શિબિરનો લાભ લીધો હતો.

ભરૂચ તાલુકાના નિકોરા ગામેમાં નર્મદા નદીના કિનારે આનંદીમાં ધ્યાની ધામ આશ્રમ ખાતે અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ પ્રેરિત મહિલા સંઘ અને યુવા પાંખ ભરૂચ જિલ્લા દ્વારા આયોજિત સંસ્કારોનું સિંચન અને સંસ્કૃતિનું જતન શિબિરમાં800બહેનોએ શિબિરનો લાભ લીધો હતો.

નિકોરા ધ્યાની ધામ આનંદીમાં આશ્રમ ખાતે13વર્ષથી વધુ વયની રાજપુત દીકરીઓ માટે એક દિવસીય શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આ આધુનિક યુગમાં પરિવારમાં સાંસ્કૃતિક સમસ્યાઓ થાય છેમેરેજ પછી  પોતાના જીવનમાં મૂલ્યવાન સમજણ આવે સાસરિયામાં પણ સંયુક્ત કુટુંબ સાથે રહી સમાજ અને પોતાનું નામ રોશન કરે તેવા ઉમદા હેતુથી સંસ્કારોનું સિંચન અને સંસ્કૃતિનું જતન કાર્યક્રમ યોજાયો હતો.આ કાર્યક્રમમાં800થી વધુ દીકરીઓએ ઉપસ્થિત રહી પોતાના જીવનમાં પરિવર્તન માટેની હાંકલ  કરી હતી. આ સાથે જ આ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લાના નવ  નિયુક્ત હોદ્દેદારોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.